કેજરીવાલે કહ્યું હારશે મોદી, જોશીએ કહ્યું PM બનશે મોદી
વારાણસી, 12 મે: આજે નવી લોકસભાની રચના માટે છેલ્લા તબક્કાનું મતદાન છે. આજે સૌની નજર હાઇ પ્રોફાઇલ બેઠક વારાણસી પર છે. કારણ કે આ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અને ભાજપે એવી પણ જાહેરાત કરી દીધી છે કે જો મોદી આ બેઠક પરથી જીતશે તો તેઓ અહીંથી જ એમપી તરીકે લોકસભામાં જશે. વારાણસી બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોઇએ વારાણસીમાં વોટીંગ કર્યા બાદ જણાવ્યું હતું કે ભાજપનો વિજય થશે અને મોદી જ વડાપ્રધાન બનશે. જ્યારે મોદીને ટક્કર આપી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે તેઓ મોદીને હરાવશે.
હારશે મોદી, અજય રાય સાથે મુકાબલામાં નથી: કેજરીવાલ
મોદીને પડકાર આપી રહેલા કેજરીવાલને પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ છે. કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ ઉમેદવાર અજય રાજ તો ક્યાય ફાઇટમાં નથી. અમે અત્રે જીત નોંધાવીશું, અને મોદી આ બેઠક પરથી હારશે. બનારસની જનતાને અપિલ કરુ છું કે તે ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરે.
કેજરીવાલ પાછલા ઘણા દિવસોથી વારાણસીની ગલિયોમાં ફરી-ફરીને જનતાને વોટની અપીલ કરી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી જે માહોલ જોવા મળી રહ્યો છે તેનાથી મારો વિજય પાક્કો છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ જણાવ્યું છે કે તેમની પાર્ટી ભારે બહુમતથી જીતશે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનશે. જોશીએ વારાણસીના અર્દલી બજાર સ્થિત એક શાળામાં પોતાનો મત નાખ્યા બાદ પત્રકારોને જણાવ્યું કે દેશની જનતા યૂપીએ સરકારથી કંટાળી ગઇ છે અને તે પરિવર્તન ઇચ્છે છે.
જોશીએ દાવો કર્યો કે દેશમાં હવા સંપૂર્ણપણે ભાજપના પક્ષમાં છે. તેમણે જણાવ્યું કે ભાજપ કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી છે, જેના કારણે પરિણામ પાર્ટીના પક્ષમાં જ આવશે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની સાથે સાથે સમજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને પણ જનતા નકારી દેશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ










Click it and Unblock the Notifications
