7મી જૂને કેરળ પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે ઓરિસ્સાને કર્યું અલર્ટ
7મી જૂને કેરળ પહોંચશે ચોમાસું, હવામાન વિભાગે ઓરિસ્સાને કર્યું અલર્ટ
નવી દિલ્હીઃ દેશભરમાં હાલ ગરમીએ તાંડવ મચાવ્યો છે, સૌકોઈને બસ હવે ઈંતેજાર છે કે ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે આવશે, એવામાં હવે ભારતીય હવામાન ખાતાએ રાહતના સમાચા આપ્યા છે. ભારતીય હવાાન ખાતા મુજબ આગામી 96 કલાકમાં કેરળમાં ચોમાસું દસ્તક આપે તેવી સંભાવના છે. ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર એચઆર બિસ્વાસે કહ્યું કે 7 જૂને મૉનસૂન કેરળ પહોંચી જશે.

7 જૂને કેરળ પહોંચશે ચોમાસું
વધુમાં તેમણે કહ્યું કે ચોમાસાની શરૂઆત બાદથી જ અમે ઓરિસ્સા વિશે જણાવશું, આમ તો આગલા 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ઓરિસ્સામાં ઠંડી હવાઓને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરના ક્ષેત્રીય હવામાન વિભાગે કહ્યું કે રાજ્યના 15 જિલ્લામાં આજે વરસાદ પણ થઈ શકે છે. જે 15 જિલ્લાઓની વાત કરવામાં આવી રહી છે તેના નામ છે, મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, કાલાહાંડી, ગજાપટી, ગંજમ, નુઆપડા, સુનપુર, બારગઢ, બૌધ, નયાગઢ, અંગુલ, ઝારસાગુડા અને ઢેંકનાલ.

બંગાળની ખાડીમાં કાળાં વાદળો ઘેરાયાં
ભારતીય હવામાન વિબાગના તાજા અનુમાન મુજબ ચોમાસાના વાદળો અરબ સાગરના દક્ષિણ છેડા તરફ પહોંચી ચૂક્યાં છે અને માલદીવ-કોમોરિન ક્ષેત્ર સહિત બંગાળની ખાડીમાં ચોમાસાના કાળા વાદળો છવાયાં છે. અગાઉ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું હતું કે આ વર્ષે દેશના મુખ્ય દક્ષિણ-પશ્ચિમ મોનસૂન 1 જૂન આસપાસ સામાન્ય આગમનથી 6 દિવસ મોડું દસ્તક આપશે.

આજે અહીં વરસાદ આવી શકે
હાલ દેશની રાજધાની દિલ્હી 42 ડિગ્રી તાપમાન પર ઓગળી રહી છે, ઘરથી બહાર નિકળવું લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે, લૂથી પરેશાન દિલ્હીવાસીઓ માટે હાલ રાહતના સમાચાર છે, ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆરમાં આંધીની સાથે હળવો વરસાદ થવાના અણસાર છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો આવશે અને લોકોને રાહત મળશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી







Click it and Unblock the Notifications
