સીડી વિવાદ: મધ્યપ્રદેશના નાણામંત્રી રાઘવજીનું રાજીનામું

આધિકારીક માહિતી અનુસાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાઘવજીના રાજીનામાને મંજૂર કરી નાણા વિભાગની જવાબદારી જળ સંસાધન મંત્રી જયંત મલૈયાને સોંપી દિધી છે. જાણકારોના અનુસાર રાઘવજીને લઇને એક અશ્લિલ સીડી સામે આવ્યા બાદ તથા તેમના નોકર રાજકુમાર દ્વાર પોલીસમાં જાતિ સતામણીની લેખિત ફરિયાદ આપ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હરકતમાં આવ્યાં અને તેમને પોતાના પદેથી રાજીનામું આપવા માટે કહ્યું હતું. રાઘવજીના નોકર રાજકુમારે પોતાની આ લેખિત ફરિયાદ હબીબગંજ પોલીસમથકમાં આપી હતી.
બીજી તરફ મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા અજય સિંહ 'રાહુલે' આને દુર્ભાગ્યપૂર્ણ તથા દુખદ ગણાવતાં કહ્યું હતું કે રાજકારણમાં 'ભ્રષ્ટાચાર'થી વધુ ખતરનાક 'નૈતિક ભ્રષ્ટાચાર' છે.












Click it and Unblock the Notifications
