નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિ કોવિંદે ફગાવી દોષી મુકેશની દયા અરજી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નિર્ભયા કેસના દોષી મુકેશ કુમારની દયા અરજી ફગાવી દીધી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નિર્ભયા કેસના દોષી મુકેશ કુમારની દયા અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મુકેશની દયા અરજી ફગાવી દેવા માટે ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુકેશે 14 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટને ક્યુરેટિવ પિટિશન ફગાવી દેવાયા બાદ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી.

રાષ્ટ્રપતિએ દુષ્કર્મી મુકેશની દયા અરજી ફગાવી
મુકેશની મર્સી પિટિશન ફગાવી દેવાની સૂચના મંત્રાલયને આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે મુકેશ સહિતચાર દોષિતોને ફાંસી આપવા માટે 22 જાન્યુઆરીના રોજ ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ. જો કે મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડીંગ હોવાના કારણે ગુરુવારે કોર્ટે કહ્યુ કે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાય નહિ.
|
ખૂબ જ દુઃખી છે નિર્ભયાની મા આશા
આ દરમિયાન દોષિતોની ફાંસી અટકવા માટે પીડિતાની મા આશા દેવીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે મારી દીકરીના મોત સાથે સતત રમત રમાઈ રહી છે, તેમણે ભાવુક થઈને કહ્યુ કે જે લોકો 2012 બાદ તિરંગો લઈને પ્રદ્રશન કરી રહ્યા હતા તે જ આજે આના પર રાજકારણ રમી રહ્યા છે.
|
પીડિતાની માની મોદીને અપીલ
ઘટના બાદ લોકોએ કાળી પટ્ટી બાંધી, નારા લગાવ્યા પરંતુ આજે એ જ લોકો એ બાળકીના મોત સાથે રમત રમી રહ્યા છે. આજે ફાંસીને રોકવામાં આવી રહી છે અને રાજકારણ રમાઈ રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કહ્યુ હતુ કે 'બહુત હુઆ નારી પર વાર, અબકી બાર મોદી સરકાર.' ફાંસી આપીને સમાજને સંદેશ આપો કે તમે મહિલાઓને સુરક્ષા આપી શકો છો અને દેશની સુરક્ષા કરવા ઈચ્છો છો.












Click it and Unblock the Notifications
