For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીએ ચા-નાસ્તો આપવાની ના પાડી, તો પતિએ હત્યા કરી નાખી

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક 49 વર્ષના વ્યક્તિએ પોતાની 38 વર્ષની પત્નીની હત્યા કરી નાખી. હત્યાનું કારણ જાણીને કોઈ પણ હેરાન થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક 49 વર્ષના વ્યક્તિએ પોતાની 38 વર્ષની પત્નીની હત્યા કરી નાખી. હત્યાનું કારણ જાણીને કોઈ પણ હેરાન થઇ શકે છે. પતિએ ગુસ્સમાં પત્નીની એટલા માટે હત્યા કરી નાખી કારણકે પત્નીએ તેને ચા-નાસ્તો આપવાની ના પાડી દીધી હતી. પોલીસે આ વિશે જાણકારી આપી છે. પોલીસે અધિકારીએ જણાવ્યું કે આરોપી રમેશ ગાયકવાડે દોરડાથી પત્ની મંગલાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. તેને શનિવારે સાંજે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું.

murder

આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરથી લગભગ 390 કિલોમીટર દૂર સિરોલ તહેસીલના કુરુનંદવાડમાં થઇ. પતિ અને પત્નીમાં હંમેશા લડાઈ થતી હતી. શનિવારે પરિસ્થિતિ તે સમયે બગડી ગઈ, જયારે તેને પત્નીને નાસ્તો બનાવવાનું કહ્યું કારણકે તેનું વ્રત હતું.

આ પણ વાંચો: પ્રેમિકાએ પ્રેમીના ઘણા ટુકડાઓ કરી તેને રૂમમાં દાટ્યો

ત્યારપછી તેને ચા બનાવવા માટે કહ્યું પરંતુ મંગલાએ ચા બનાવવાની ના પાડી દીધી. ત્યારપછી બંને વચ્ચે લડાઈ શરુ થઇ ગઈ. મંગલા પોતાનો સામાન ઉઠાવીને પિયર જવા માટે નીકળી ગઈ. મંગલા બસ સ્ટોપ પર ઉભી રહીને બસની રાહ જોઈ રહી હતી, તે સમયે ગાયકવાડ ત્યાં પહોંચી ગયો. તેને પત્નીને ઘરે પાછી આવવા માટે કહ્યું. પોલીસ અનુસાર, મંગલાએ ગાયકવાડને ગમે તેમ કહ્યું જેને કારણે ગુસ્સામાં આવીને ગાયકવાડે નાયલોનની દોરીથી તેનું ગળું દબાવી દીધું.

આ પણ વાંચો: 45 વર્ષ પહેલાં 11 વર્ષની માસૂમની હત્યા, હવે પકડમાં આવ્યો હેવાન

English summary
A man allegedly killed his wife after she denied cooking snacks for him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X