ટિકિટ કપાતાં કોપાયમાન થયા જોશી, કહ્યું- એલાન નહિ કરું, શાહે ફેસલો જણાવવો હતો
ટિકિટ કપાતાં ગુસ્સે થયા જોશી, કહ્યું- આ પાર્ટીના સંસ્કાર નહિ
સત્તામાં બની રહેવા માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે. 2019ની જીત સુનિશ્ચિત કરવા માટે પાર્ટી પસંદગીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી રહીછે. પરંતુ આ કારણે ભાજપના દિગ્ગજ જ પાર્ટી પર ગુસ્સે થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાલ કૃષ્ણ અડવાણીની જેમ જ ભાજપે વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ટિકિટ ન આપવાનું મન બનાવી લીધું છે. જ્યારે પાર્ટી તરફથી સંગઠન મહાસચિવ રામલાલે તેમને આ વાતની જાણકારી આપી તો તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

જોશીની ટિકિટ પણ કપાણી
જણાવી દઈએ કે સોમવારે ભાજપના સંગઠન મહાસચિવ રામલાલે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. રામલાલે મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવવામાં ન આવે. રામલાલે કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તમે પાર્ટી ઑફિસ આવીને ચૂંટણી ન લડવાનું એલાન કરો. જો કે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશીએ સીધી રીતે નકારી કાઢી. જોશીએ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ન લડાવવાનો ફેસલો થયો તો એકવાર અધ્યક્ષ અમિત શાહે આવીને મને સૂચિત તો કરવો જોઈતો હતો. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ હી દીધું કે તેઓ પાર્ટી ઑફિસ આવીને આવી ઘોષણા નહિ કરે.

શાહ પર થયા કોપાયમાન
જણાવી દઈએ કે અગાઉ ભાજપે દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ટિકિટ કાપી લીધી ત્યારે પણ ભારે બબાલ થઈ હતી. ગાંધીનગરથી હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. અડવાણીની ટિકિટ કપાતા શત્રુઘ્ન સિન્હા સહિત કોંગ્રેસના નેતા પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લાલ કૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી અને શાંતા કુમાર, કરિયા મુંડા સાથે ફોન પર વાત કરી તેમની ટિકિટ કપાઈ હોવાની જાણકારી આપી હતી.

અડવાણી પણ થયા હતા ગુસ્સે
ત્યારે પણ રામલાલે આ નેતાઓને સૂચિત કર્યા હતા કે તેઓ પોતાના તરફથી ચૂંટણી ન લડવાનું એલાન કરે. પરંતુ લાલકૃષ્ણ અડવાણી પણ મુરલી મનોહર જોશીની જેમ તૈયાર ન હતા. સૂત્રો મુજબ અડવાણીએ પણ મુરલી મનોહર જોશીની જેમ રામલાલને કહ્યું હતું કે પાર્ટી અમને ટિકિટ આપવા નથી માંગતી તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ખુદ આવીને પાર્ટીનો ફેસલો અમને જણાવવો જોઈએ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ











Click it and Unblock the Notifications
