મુજફ્ફરનગર રમખાણ: તપાસ પંચે 33 પીડિતોના નોંધ્યા નિવેદન

ન્યાયમૂર્તિ સહાયે કહ્યું કે રમખાણો સંબંધમાં 700થી વધુ પીડિતોએ પોતાના સોગંધનામા આયોગમાં જમા કરાવ્યા છે. આ પહેલાં 248 રમખાણ પીદિતોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને પંચે બાકીના પીડિતોના નિવેદન નોંધવાનું ચાલું રાખશે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુજફ્ફરનગર અને આસપાસના વિસ્તારોમાં થયેલા સાંપ્રદાયિક હિંસામાં 60થી વધુ મોતને ભેટ્યા છે અને 40 હજારથી વધુ વિસ્થાપિત થઇ ગયા હતા. 27 ઓગષ્ટના રોજ કવાલ ઘટના બાદ થઇને નવ સપ્ટેમ્બર સુધી ચાલેલી હિંસાની તપાસ માટે નવ સપ્ટેમ્બરના રોજ પંચ નિમવામાં આવ્યું છે.
પંચે બે મહિનાના નક્કી કરવામાં આવેલા સમયગાળામાં રિપોર્ટ આપવામાં અસફળ રહ્યાં ત્યારબાદ આયોગના કાર્યકાળને ગત વર્ષે નવેમ્બરમાં છ મહિના માટે વધારી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
