Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મારી શિફ્ટનો ટાઈમિંગ ખતમ...', પાયલટે એરપોર્ટ પર વિમાન ઉડાવવાની પાડી દીધી ના, કલાકો સુધી ફસાયા મુસાફર

Air India News: રવિવારે સવારે દિલ્હીમાં વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ ઑપરેશનમાં ઘણી સમસ્યાઓ થઈ હતી. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટના લેન્ડિંગ અને ટેક ઓફમાં ઘણો સમય લાગી રહ્યો હતો.

ખરાબ હવામાનને કારણે લંડનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-112નું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ બાદ પાઈલટે પ્લેન ઉડાડવાનો ઈન્કાર કરી દીધો હતો.

Air India

પાયલોટ દ્વારા ફ્લાઈટ ન ઉડાડવાના કારણે મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા છે. પાયલોટના કારણે, લગભગ 350 મુસાફરો, જેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચવાના હતા, તેઓ લગભગ ત્રણ કલાક સુધી જયપુર એરપોર્ટ પર ફસાયા હતા.

એરક્રાફ્ટ AI-112 જે મૂળરૂપે સવારે 4 વાગે દિલ્હી પહોંચવાનું હતું. પરંતુ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે તેને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. જયપુર એરપોર્ટ પર ઉતરતા પહેલા વિમાન લગભગ 10 મિનિટ સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું.

લગભગ બે કલાક પછી લંડનથી ફ્લાઇટને દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી તેની દિલ્હીની મુસાફરી ફરી શરૂ કરવાની પરવાનગી મળી, જ્યારે કેટલીક અન્ય ફ્લાઇટ્સ પણ જયપુર તરફ વાળવામાં આવી. પરંતુ આવી સ્થિતિમાં પાયલોટે ઉડાન ભરવાની ના પાડી દીધી અને વિમાનમાંથી ઉતરી ગયો.

પાઈલટે કહ્યું કે તે હવે પ્લેન ઉડાડી શકશે નહીં કારણ કે તેના કામના કલાકો પૂરા થઈ ગયા છે અને તેના શિફ્ટનો સમય પૂરો થઈ ગયો છે. જેના પગલે એરપોર્ટ પર ફસાયેલા 350 જેટલા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું.

લગભગ ત્રણ કલાક પછી તેમાંથી કેટલાકને રોડ માર્ગે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકો બદલી ટીમ ગોઠવીને તે જ ફ્લાઈટમાં દિલ્હી પહોંચી શક્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X