ભારે સુરક્ષાની વચ્ચે આજે વારાણસીમાં મોદીની શંખનાદ રેલી
વારાણસી, 20 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસી રાજા તાલાબ મેદાનમાં પોતાની પાંચમી વિજય શંખનાદ રેલી સંબોધિત કરશે. નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ મુરલ મનોહર જોશી તેમજ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ આ રેલીમાં હાજરી આપશે.
નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ દ્વારા બાબા વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરના દર્શનના કાર્યક્રમને લઇને સુરક્ષા પૂરી પાડવામાં તંત્રના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. મોદીને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ મંદિરોમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ રાખે. પરંતુ ભાજપ રાજ્ય સરકારના આગ્રહને માનવા માટે તૈયાર નથી.
રેલીની સુરક્ષા માટે યૂપી પોલીસની સાથે ગુજરાત પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળ પણ બંદોબસ્તમાં રહેશે. રેલીસ્થળ પર 2400થી વધારે પોલીસકર્મીઓ ડ્યૂટી પર રહેશે. મોદીની ઉત્તર પ્રદેશમાં આ પહેલી રેલી હશે. આ પહેલા કાનપુર, ઝાંસી, બહરાઇચ અને આગ્રામાં તેમની રેલી થઇ ચૂકી છે.