કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, મને ફક્ત 60 મહિના આપો: નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર તથા ગુજરાતન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના ઇમ્ફાલ ખાતે આજે સવારે નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના આગમન પર નરેન્દ્ર મોદી જીંદાબાદના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન જીંદાબાદના નારા સાથે સ્થાનિક નેતા સ્વાગત કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ પોતાની ભાષણની શરૂઆતમાં મણિપુરની સંસ્કૃતિના વખાણ કરતાં જણાવ્યું હતું કે મણિપુરના નૃત્ય વિના ભારતીય સંસ્કૃતિ અધુરી છે. વાસ્ત્ર શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘરના નોર્થ અને ઇસ્ટ ભાગને સંભાળ રાખવી જોઇએ. ભારત જેવા દેશમાં પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નોર્થ ઇસ્ટનું ભલું થશે તો જ દેશનું ભલું થશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મણિપુરની સંસ્કૃતિને સલામ કરું છું તથા અહીની માટી, રીત રિવાજો અને લોકોને સલામ કરું છું.
તેમને કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના આઠ રાજ્ય અષ્ટલક્ષ્મી છે અને અષ્ટલક્ષ્મી દેશનું ભાગ્ય બદલશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અટલજીએ ઉત્તર-પૂર્વ માટે કામ કર્યું છે. ઉત્તર-પૂર્વ માટે અલગ મંત્રાલય બનાવ્યું છે, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર પાસે આ વિસ્તાર માટે યોગ્ય નિતી નથી.

અરૂણાચલ પ્રદેશના વિદ્યાર્થીનું મોત શરમજનક ઘટના
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં પર્યટનની મોટી સંભાવનાઓ છે. તેમણે કહ્યું હતું કે હું ઉત્તર-પૂર્વ માટે કામ કરવા માંગું છું. દિલ્હીમાં અરૂણાચલના વિદ્યાર્થીની મોત વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું આ એકદમ શરમજનક છે અને હું નીડોના પરિવાર માટે પ્રાર્થના કરું છું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ઉત્તર-પૂર્વના વિકાસનો વાયદો કરું છું.

પ્રાકૃતિક સંપદા હોવાછતાં પૂર્વોત્તર રાજ્યો પછાત
અહીં પ્રાકૃતિક સંપદા હોવા છતાં પૂર્વોત્તર રાજ્યો પછાત છે. કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ડ્રગ્સના વેપારને રોકવામાં નિષ્ફળ રહી છે. નરેન્દ્ર મોદી કહ્યું હતું કે બધાને ખબર છે કે વિદેશોમાં કાળું નાણું કોનું છે. તેમને કહ્યું હતું કે ભારતની એક-એક પાઇ પરત લાવીશું. 'પંજો' તક મળતાં જ સફાઇ કરી દે છે. ઉત્તર-પૂર્વ માટે હાલ કેન્દ્ર સરકાર પાસે નીતિ નથી.

ગુજરાતના તળાવના વિકાસની વાત
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અષ્ટલક્ષ્મી કમળ પર બિરાજે છે અને ભાજપના ચૂંટણી ચિહ્નની પ્રશંસા કરતાં કહ્યું હતું કે અષ્ટલક્ષ્મી પણ કમળ પર બિરાજે છે એક કહ્યું હતું. તેમણે કહ્યું હતું કેગુજરાતના અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવ આવેલું છે જે એકદમ ગંદુ હતું, અને તેને સ્વચ્છ કર્યું આજે લાખો લોકો ફરવા માટે કાંકરિયાના કિનારે આવે છે.

100 દિવસ સહન કરી લો
2014ની ચૂંટણીમાં ભાજપની જીત તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું હતું કે હવે તે દિવસો નથી. હવે સમસ્યાઓ વધુમાં વધુ 100 દિવસ સહન કરવી પડશે. દેશ માટે સારા દિવસો આવવાના છે.

સેવન સિસ્ટર્સ
આ વિસ્તારના રાજ્યોની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પહેલાં ઉત્તર-પૂર્વના રાજ્યોને 'સેવન સિસ્ટર્સ' કહેવામાં આવતા હતા, પરંતુ સિક્કિમ સાથે આ 8 રાજ્યો છે અને તેમાં ભારતને બદલવાનું સામર્થ્ય છે. એટલા માટે તેને 'અષ્ટલક્ષ્મી' કહેવું જોઇએ.

ગુજરાતના વિકાસની પ્રશંસા
નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની પ્રશંસા કરવાનું ચૂક્યાં ન હતા. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કોલસાના ભંડાર છે, પરંતુ ગુજરાતની માફક તેનો વિકાસ માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમને ગુજરાત અને આ વિસ્તાર વચ્ચે સંબંધ હોવાની પણ વાત કહી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ભગવાન કૃષ્ણના લગ્ન ઉત્તર-પૂર્વમાં થયા હતા અને તે ગુજરાતમાં રહેતા હતા. આ મુજબ અમારો ઉત્તર-પૂર્વ સાથે ખાસ સંબંધ છે.'

મણિપુર દેશનું પાવર હાઉસ બની શકે
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મણિપુર દેશનું પાવર હાઉસ બની શકે છે અને પ્રાકૃતિક રીતે આ તેના માટે યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ભાજપ જો સત્તામાં આવશે તો સિલ્ચર-ઇમ્ફાલ રોડ અને દીમાપુર-ઇમ્ફાલ રોડ બનાવશે. આ ઉપરાંત ગુજરાતને મણિપુર હાઇવે સાથે જોડવામાં આવશે.

નીડોના મોત માટે દિલ્હી સરકાર જવાબદાર
દિલ્હીમાં અરૂણાચલના વિદ્યાર્થી નીડો તાનિયામની હત્યાના મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે દિલ્હીમાં સરકારની બેરદરકારીના લીધે નીડોનું મોત નિપજ્યું છે. તેમણે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે દિલ્હીમાં ઉત્તર-પૂર્વના નવજવાનો મળ્યા અને તેમનું દુખ સાંભળ્યું. તેમણે કહ્યું હતું કે 'મેં તેમને આશ્વાસન આપ્યું કે આખો દેશ તેમની સાથે છે.'
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
