ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.
દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.
મોદીની 3ડી રેલી 11 એપ્રિલ સુધી સ્થગિત
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની 3ડી રેલીઓમ ટેક્નિકલ ખામીના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે, જેમાં તે 3ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન ટેક્નિક થકી એક સાથે 100થી વધુ સ્થળો પર જનસભાઓ સંબોધિત કરવાના હતા.
ભાજપના મંદિર રાગ પર ડાબેરીઓએ ઉઠાવ્યા પ્રશ્નાર્થ
ડાબેરીઓએ ભાજપ દ્વારા પોતાના ઢંઢેરામાં રામ મંદિર મુદ્દાને ફરીથી ઉઠાવવા સામે પ્રશ્નાર્થ કર્યા છે. ભાકપા નેતા ગુરદાસ દાસગુપ્તાએ કહ્યું કે ભાજપે રામ મંદિર નિર્માણનો રાગ આલાપ્યો છે.
ભાજપનો ઢંઢેરો માત્રા નારેબાજીઃ ઉમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ભાજપના ઢંઢેરાનો માત્ર નારેબાજી ગણાવી છે અને કહ્યું છેકે સમાન નાગરિક સંહિતા, રામ મંદિર અને ધારા 370 જેવા મુદ્દા આ પાર્ટી માટે સત્તામાં આવવાનું માધ્યમ છે.
મોદી ભય નહીં, વિકાસનું નામઃ નકવી
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે મોદી ભયનું નામ નહીં પરંતુ વિકાસનું નામ છે. કોંગ્રેસ, સપા, બસપાએ સેક્યુલારિઝમનો ઠેકો રાખ્યો નથી. ભાજપ સાથે અત્યારસુધીમાં 24 સેક્યુલર દળ જોડાયા છે. હવે કેન્દ્રમાં આગામી સરકાર એનડીએની હશે.