મુજફ્ફરનગર, 1 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશમાં છે કે નહી તે અંગેનો નિર્ણય તો લોકસભાની ચુંટણીના પરિણામો કરશે પરંતુ તેમની ભક્તિમાં લોકો અનોખું કરાવાની તક ચૂકતા નથી. મુજફ્ફરનગરમાં તો એક વ્યક્તિએ નરેન્દ્ર મોદી પર ચાલીસાનું વિમોચન કરી દિધું.
તે સવાર-સાંજ ગલીઓમાંથી મોદી ભક્તોને એકઠા કરીને મંદિરના પ્રાંગણમાં બેસીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારને ભગવાન માનીને મોદી ચાલીસાના પાઠ કરાવે છે અને સાથે જ મોદીને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લે છે.
મુજફ્ફરનગરના નગર કોતવાલી વિસ્તારની એક કોલોનીમાં સોનૂ નામના યુવકે નરેન્દ્ર મોદીમાં પોતાની આસ્થા દર્શાવતા તેમને ભગવાની માનીને 'મોદી ચાલીસા' લખી દિધી છે. સોનૂ રોજ સવાર-સાંજ ઉઠીને નરેન્દ્ર મોદીના ભક્તો સાથે મોદી ચાલીસાનો પાઠ કરાવે છે. સોનૂ અને કેટલાક યુવાનોની સાથે-સાથે મહિલાઓ પણ મોદીની ભક્તિમાં લીન છે. સોનૂનું કહેવું છે કે જ્યારે દેશ સંકટમાં આવે છે ત્યારે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તે કોઇને કોઇ સ્વરૂપે આવી જાય.
સોનૂનું માનવું છે આજે જે પ્રકારે દેશમાં સંકટ છે-મોંધવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ સામે દેશ ઝઝૂમી રહ્યો છે, એટલા માટે આમે ભગવાનને યાદ કર્યા છે અને તે નરેન્દ્ર મોદીના રૂપમાં આપણી સમક્ષ આવ્યા છે.
સોનૂનું કહેવું છે કે આથી જ અમે મોદીજીની સ્તુતિ અને પ્રાર્થના કરીએ છીએ. તો બીજી તરફ એક મહિલા મોદી ભક્ત સુમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો મહિલાઓ પર જે અત્યાચાર થઇ રહ્યાં છે તે થવા નહી દે.