નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યો આરોપોનો વરસાદ
મૈસુર, 8 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કર્ણાટક અને કેરળમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કર્ણાટકના મૈસુરમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે હવે દેશની તિજોરી પર પંજો પડવા દઇશ નહી. બીજી તરફ કેરલના કાસરગોડમાં પણ નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર જોરદાર ગરર્જ્યા. રેલીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે કેરલ માટે કશું કર્યું નથી. જો કે તે હવે 'આતંકવાદની નર્સરી' બની ગયું છે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં રક્ષા મંત્રી એકે એંટની પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એકે એંટનીના નેતૃત્વ દરમિયાન દેશના રક્ષા વિસ્તારને ગંભીર રીતે પીડાઇ રહ્યો છે અને તેના માટે જનતાએ જવાબ આપવો પડશે.
મૈસુરમાં જનસભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે મને 300થી વધુ સીટો જીતાડીને બતાવો અને ત્યારબાદ હું ચોકીદાર બનીને તમારા બધાની રક્ષા કરીશ. તમે મને 300 સીટો સાથે દિલ્હીની ખુરશી પર બેસવાની તક આપો, હું બધા ભારતવાસીઓને સુખ, ચેન અને શાંતિની જીંદગી આપીશ.' ભારતની અર્થવ્યવસ્થાના મુદ્દે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નાણાંમંત્રી પી ચિદંદબરમ સહિત સોનિયા અને રાહુલના કાળા કારનામાઓના લીધે રૂપિયાની કિંમત વિશ્વના બજારમાં દરરોજ ઘટતી જાય છે પરંતુ દેશની સરકારને કોઇ ફરક પડતો નથી. તેમણે એમપણ કહ્યું હતું કે રૂપિયાના અવમૂલ્યન સમયે પણ કોંગ્રેસ ગરીબોનું લોહી ચૂસતી રહી.
તેમણે કહ્યું હતું કે હું મારું જાણું છું કે દિલ અને દિમાગમાં કમળ છે બસ મતદાનના દિવસે તમારી આંગળી કમળ પર હોવી જોઇએ. નરેન્દ્ર મોદીએ રક્ષામંત્રી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ઇટાલી મરીનો અને પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સૈનિકોના માથા કાપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નૌસેનાની સબમરીન અને જહાજ દુર્ઘટનાઓ બાદ નૌસેના પ્રમુખ એડમિરલ ડી.કે. જોશીના રાજીનામા તરફ ઇશારો કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય રક્ષા દળોને આ સમયગાળામાં ઉત્કુટ ઉપરકરણ મળ્યા નથી. અને એંટનીને આ વાતનો જનતાને જવાબ આપવો જોઇએ.
કેરલના ઉત્તરી જિલ્લામાં પોતાની પાર્ટીના ઉમેદવાર કે.સુરેદ્રનની સભાને સંબોધિત કરતાં તેમણે પૂછ્યું હતું કે ભારતની મોટી સમુદ્ર તટીય રેખાની સુરક્ષા કેવી રીતે થઇ શકે? તેના માટે કોણ જવાબદાર છે.
-
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર










Click it and Unblock the Notifications
