Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપી નેતાની લપસી જીભ, કહ્યું-'નીતિશની હત્યા મોદીના હાથે થશે!'

giriraj singh
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: ભાજપના નેતા ગિરિરાજ સિંહના અત્યંત વિવાદાસ્પદ નિવેદનને પગલે દેશના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. બિહારના વૈશાલીમાં એક જનસભાને સંબોધિત કરી રહેલા ભાજપના નેતા ગિરિરાજ સિંહે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરતા જણાવ્યું કે તેમની હત્યા નરેન્દ્ર મોદીના હાથે જ થશે.

જોકે ગિરિરાજનો સંદર્ભ નીતિશ કુમારના રાજનૈતિક માળખાનો સફાયો કરવા તરફ હતો. ગિરિરાજે જણાવ્યું કે નીતિશ કુમારનો રાજકિય સફાયો કરવા માટે લોકસભાની 40 બેઠકો પર તેમને હરાવવા જરૂરી છે. ઉપરાંત તેમણે કહ્યું કે નીતિશ કુમારની હત્યા મોદીના હાથે જ થશે. તેમના આ નિવેદનની જેડીયૂ નેતા અનવર અલીએ નીંદા કરી છે.

પંચાયત પ્રતિનિધિયોને સંબોધિત કરી રહેલા ગિરિરાજ સિંહે જણાવ્યું કે નીતિશ કુમારના ખાત્મા માટે તેમની પાર્ટીને બિહારની તમામ 40 બેઠકોથી હરાવવા જરૂરી છે. નીતિશ કુમારનો જીવ લોકસભાની આ ચાળીસ બેઠકોમાં જ અટકી પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગિરિરાજે નીતિશ પર પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે તેઓ ઇર્ષ્યા કરનારી કોઇ 'ગામઠી સ્ત્રી'ની જેમ મોદી સાથે વ્યવહાર કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે ગઇકાલે નીતિશ કુમારે એક સભામાં નરેન્દ્ર મોદી પર હુમલો કરતા જણાવ્યું હતું કે જાણે આકાશમાંથી કોઇ જાદુની છડી આવી જશે અને તેના આવવાથી આપણા તમામ યક્ષ પ્રશ્નો હલ થઇ જશે. નીતિશ કુમારે આ હુમલો મોદીનું નામ લીધા વગર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X