નરેન્દ્ર મોદી જ રહેશે ગુજરાતના CM, હાલ કોઇ ડેપ્યુટી CM નહીં
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આવામાં કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી હવે એક ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ કરશે. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસના) અને ભાજપના સૂત્રોએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી જ ગુજરાતના મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે. આ ઉપરાંત ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ કરવામાં નહીં આવે.
આ પાછળનું કારણ જણાવતા સૂત્રોએ કહ્યું કે આ પ્રકારના પગલાંથી રાજ્યમાં મોદી માટે સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. મોદીના વિરોધીએ આ બાબતનો અંદાજો આપ્યો હતો કે જ્યારે મોદીને આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે રાજ્યમાં મોદી પરનો કાર્યભાર હલ્કો કરવા માટે એક ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

પાર્ટી અને આરએસએસને એવું લાગે છે કે ઉપમુખ્યમંત્રી બનાવવાને કારણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ તકલીફો વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે તો સત્તાના બે કેન્દ્રો બને છે. જેના કારણે પ્રસાશનની સાથે સાથે રાજકારણમાં પણ પાર્ટી માટે સમસ્યા ઉભી થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે રાજ્યની સેવા કરવાનું જ પસંદ કરશે. આ વાતને આધાર બનાવીને હવે આરએસએસ અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ જણાવી રહ્યા હતા કે મોદી ગુજરાતની સેવા આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સુધી કરતા રહેશે.
બીજી બાબત એ પણ છે કે પાર્ટીએ નરેન્દ્ર મોદીને ગોવા અધિવેશનમાં 2014માં લામાન્ય ચૂંટણીઓ માટે પાર્ટીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. હવે મોદી આ પદ પરથી રાજીનામુ આપી દેશે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત






Click it and Unblock the Notifications
