જેઠમલાણીની વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા પંચમાં ફરિયાદ
લખનઉ, 18 સપ્ટેમ્બર: ભારતીય પોલીસ સેવાના ઉત્તર પ્રદેશ કેડરના અધિકારી અમિતાભ ઠાકુરે બુધવારે રાષ્ટ્રીય મહિલા પંચને ફરિયાદ કરી વિવાદીત સંત આસારામ પર શારીરિક શોષણનો આરોપ લગાવવા, યુવતી અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનાર વરિષ્ઠ અધિવક્તા રામ જેઠમલાણીની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઠાકુરે જણાવ્યું કે દેશના વરિષ્ઠ વકિલ દ્વારા કોઇ આધાર વગર આ પ્રકારની ટિપ્પણી અત્યંત આપત્તિજનક છે કારણ કે તે એક એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવી જે સમાજમાં ખૂબ જ વગ ધરાવે છે. આ પીડિત યુવતીની સાથે સંપૂર્ણ મહિલા સમાજ પ્રત્યે સાર્વજનિકરીતે કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણી છે. ઠાકુરે પંચને તાત્કાલિક આ પ્રકરણની તપાસ કરીને નિયમાનુસાર કાયકાકિય કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.












Click it and Unblock the Notifications
