સિદ્ધુએ PMને કર્યો સવાલ- ખેડૂતો 1 વર્ષ સુધી રોડ પર બેસી રહ્યા, તમારે 15 મિનિટ રોકાવુ પડ્યુ તો હંગામો કેમ
પંજાબમાં થોડા અઠવાડિયા પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ફિરોઝપુરમાં એક રેલીને સંબોધવાના હતા. જો કે, રેલી સ્થળના થોડાક કિલોમીટર પહેલા પીએમ મોદીનો કાફલો 15 થી 20 મિનિટ સુધી રોડ
પંજાબમાં થોડા અઠવાડિયા પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ફિરોઝપુરમાં એક રેલીને સંબોધવાના હતા. જો કે, રેલી સ્થળના થોડાક કિલોમીટર પહેલા પીએમ મોદીનો કાફલો 15 થી 20 મિનિટ સુધી રોડ પર અટવાઈ ગયો હતો, જેને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી રહી છે. હવે ભાજપ પંજાબની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવી રહી છે જેના માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પીએમ મોદી પર વળતો પ્રહાર કર્યો છે.
પીએમ મોદીને તેમના એક કાર્યક્રમમાં ખેડૂતોના આંદોલનની યાદ અપાવતા તેઓ કહે છે, 'ખેડૂતો એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા હતા, પરંતુ ગઈકાલે જ્યારે પીએમને લગભગ 15 મિનિટ રાહ જોવી પડી ત્યારે તેઓ (મીડિયા) હેરાન થઇ ગયા. આ બેવડા ધોરણ શા માટે? મોદીજી, તમે કહ્યું હતું કે તમે ખેડૂતોની આવક બમણી કરશો, પરંતુ તેમની પાસે જે હતું તે તમે લઈ લીધું. આજે ગમે તેટલું નાટક કરો, ફોટો મુકો અને કહો આભાર, અમે કાળા કાયદા પાછા લઈ લીધા છે.
એમપીના ગૃહમંત્રીએ સિદ્ધુ પર નિશાન સાધ્યું
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કહ્યું કે 16 કલાક થઈ ગયા છે પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં પીએમની સુરક્ષામાં ખામી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સુરક્ષા ભંગને કારણે તેમના પરિવારના સભ્યને ગુમાવ્યા છે, તેથી તેઓ આ પીડા સારી રીતે જાણે છે અને તેમણે વિગતવાર ખુલાસો આપવો જોઈએ. પીએમની સુરક્ષામાં ક્ષતિ ઉપરાંત ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ કોરોના મહામારીના ત્રીજા મોજાની સંભાવના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે અત્યારે ગૃહ વિભાગ પાસે લોકડાઉન લાગુ કરવાની કોઈ દરખાસ્ત નથી, પરંતુ અમે માસ્ક નહીં લગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
#WATCH Farmers sat on protest at Delhi borders for over a year,but yesterday when PM had to wait for around 15 mins he was troubled by it. Why these double standards? Modi Ji, you had said that you'll double farmers' income but you even took away what they had: Navjot Sidhu, Cong pic.twitter.com/qtflt4WmOI
— ANI (@ANI) January 6, 2022