નક્સલી હુમલો: બસ્તર SP સસ્પેંડ, IG, DM દૂર કરાયા
રાયપુર, 29 મે: છત્તીસગઢ સરકારે રાજ્યના બસ્તર જિલ્લામાં કોંગ્રેસના નેતાઓના કાફલા પર નક્સલી હુમલાની ઘટના બાદ મોટી કાર્યવાહી કરતાં બસ્તર જિલ્લાના પોલીસ અધીક્ષકને સસ્પેંડ કરી દિધા છે તથા બસ્તર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લાના કલેક્ટરને દૂર કરવામાં આવ્યાં છે.
રાજ્યના જનસંપર્ક વિભાગના સચિવ અમન સિંહે આજે અહીં ભાષાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બસ્તર જિલ્લામાં નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓની હત્યા બાદ કાર્યવાહી કરતાં બસ્તર જિલ્લાના પોલીસ અધિક્ષક મયંક શ્રીવાસ્તવને સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે તથા બસ્તર વિસ્તારના પોલીસ મહાનિરીક્ષક (આઇજી) હિમાંશુ ગુપ્તા તથા બસ્તરના કલેક્ટર પી અંબલગનને દૂર કરવામાં આવ્યાં છે.
અમન સિંહે જણાવ્યું હતું કે શ્રીવાસ્તની જગ્યાએ અજય યાદવ બસ્તર જિલ્લાના નવા પોલીસ અધિકક્ષ હશે તથા હિમાંશુ ગુપ્તાની જગ્યાએ અરૂણ દેવ ગૌતમ બસ્તર વિસ્તારના નવા પોલીસ મહાનિરીક્ષક (આઇજી)નું પદ સંભાળશે. બીજી તરફ જશપુર જિલ્લાના કલેક્ટર અંકિત આનંદને બસ્તર જિલ્લાના કલેક્ટર તરીકે નિમવામાં આવ્યાં છે. તેમને જણાવ્યું હતું કે સસ્પેન્સન દરમિયાન શ્રીવાસ્તવ પોલીસ મહાનિર્દેશક રામનિવાસના કાર્યાલયમાં જોડાયેલા રહેશે તથા પોલીસ મહાનિરીક્ષક હિમાંશુ ગુપ્તા પોલીસ મહાનિરીક્ષ સીઆઇડી હશે. તો અંબલગનને મંત્રાલયમાં ઉપ સચિવના પદ પર નિમવામાં આવ્યાં છે.

અમન સિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાજ્યમાં મહત્વપૂર્ણ વ્યક્તિઓની સુરક્ષાની જવાબદારી પોલીસ મહાનિર્દેશક રામનિવાસને સોંપવાનો નિર્ણય કર્યો છે તથા પોલીસ મહાનિરિક્ષક જીપી સિંહ ડીઆઇજી દિપાશું કાબરા રામનિવાસનો સહયોગ કરશે. રાજ્યમાં નક્સલી હુમલામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને પૂર્વ નેતા પ્રતિપક્ષ મહેન્દ્ર કર્મા સહિત 27 લોકોની હત્યા બાદ રાજ્ય સરકાર પ્રથમ મોટી કાર્યવાહી કરી રહી છે.
રાજ્યના બસ્તર વિસ્તારમાં નક્સલીઓએ શનિવારે કોંગ્રેસની પરિર્તન યાત્રા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને પૂર્વ નેતા પ્રતિપક્ષ મહેન્દ્ર કર્મા સહીત 27 લોકોના મોત નિપજ્યાં હતા. આ હુમલામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા વિદ્યાચરણ શુક્લ સહિત 37 લોકો ઘાયલ થયા હતા.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
