Nayab Singh Saini oath : હરિયાણાના નવા સીએમ 17 ઓક્ટોબરે શપથ લેશે, જાણો કોણ કોણ બનશે મંત્રી?
Haryana Nayab Singh Saini oath : હરિયાણામાં બીજેપીની નવી સરકાર 17 ઓક્ટોબરે શપથ લેવા જઈ રહી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સહિત મંત્રીઓ અહીં શપથ લેશે.
સમાચારો અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત બીજેપીના ઘણા નેતા હાજરી આપશે.

કેન્દ્રીયમંત્રી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે, વડા પ્રધાનની મંજૂરી મળી છે કે મુખ્ય પ્રધાન અને પ્રધાન પરિષદ 17 ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે.
હરિયાણા સરકારે શપથ ગ્રહણ સમારોહ માટે પંચકુલાના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીઓની 10 સભ્યોની સમિતિની રચના કરી છે.
એક સત્તાવાર આદેશમાં મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે કહ્યું કે, પંચકુલા ઉપરાંત વધારાના ડેપ્યુટી કમિશનર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર પણ સમિતિના સભ્યો હશે. ભાજપે વર્તમાન મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવીને વિધાનસભાની ચૂંટણી લડી હોવાથી, તે જ નવી સરકારનું નેતૃત્વ પણ કરે તેવી શક્યતા છે.
નાયબ સિંહ સૈનીના નજીકના સુત્રો અનુસાર, મુખ્યમંત્રી સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સમારોહમાં ભાગ લેશે.
સુત્રોએ કહ્યું કે, આ વખતે શપથ ગ્રહણ સમારોહ એક ભવ્ય કાર્યક્રમ હશે જેમાં સમગ્ર રાજ્યના લોકો ભાગ લેશે કારણ કે અમે સતત ત્રીજી વખત હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી જીતી છે.
90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે. ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ સહિત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે 37 સીટો જીતી અને ઈન્ડિયન નેશનલ લોકદળે બે સીટો જીતી છે.












Click it and Unblock the Notifications
