NDA ઉમેદવારના સગાનો મોબાઈલ EVM સાથે કનેક્ટ હોવાનો આરોપ, ફરિયાદ દાખલ
EVM ને લઈને સતત સવાલો ઉઠી રહ્યાં છે અને બીજેપી પર સતત ફ્રોડના આરોપ લાગી રહ્યાં છે ત્યારે હવે એનડીએ ઉમેદવારના સગાનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે કનેક્ટ હોવાનો ચૌકાવનારો દાવો વિપક્ષે કર્યો છે.
અહેવાલો અનુસાર. માત્ર 48 વોટથી લોકસભા ચૂંટણી જીતનાર રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો.

4 જૂને મતગણતરીના દિવસે મંગેશ પાંડિલકર મોબાઈલ ફોન લઈને મતગણતરી કેન્દ્રમાં ગયો હતો. આ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. હવે પોલીસ તપાસને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે મંગેશ પાંડિલકરનો ફોન ઈવીએમ મશીન સાથે કનેક્ટ હતો.
પોલીસે જણાવ્યું કે, આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઈવીએમ મશીનને અનલોક કરવા માટે ઓટીપી જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો.
બિહારમાં લાલુ યાદવની પાર્ટી આરજેડી અને અન્ય અનેક વિપક્ષી પાર્ટીઓએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. પીએમ મોદી પર નિશાન સાધતા આરજેડીએ કહ્યું કે, મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો.
એનડીએના આ ઉમેદવાર માત્ર 48 વોટથી જીત્યા હતા. આખરે એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે કેવી રીતે અને કેમ જોડાયો? જ્યાં મત ગણતરી થઈ રહી હતી ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? જ્યારે મોદી વડાપ્રધાન છે ત્યારે આ શક્ય છે! અંધ ભક્ત ચૂંટણી પંચે જવાબ આપવો પડશે.
મતદાન કાર્યકર દિનેશ ગુરવની ફરિયાદ પર પંડિલકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હોવા છતાં એક અપક્ષ ઉમેદવારે તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોયો અને રિટર્નિંગ ઓફિસરને જાણ કરી.
આરઓએ વનરાઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી વનરાઈ પોલીસે ચૂંટણી પંચના મતદાન કાર્યકર દિનેશ ગુરવની સાથે મંગેશ પાંડિલકરને CTPC 41A હેઠળ નોટિસ મોકલી છે.
આ ઘટના કથિત રીતે નેસ્કો સેન્ટરની અંદર 4 જૂને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક માટે મત ગણતરી દરમિયાન બની હતી. રિપોર્ટ અનુસાર, પોલીસે મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને તેના ડેટા અને કોલ રેકોર્ડની ખાતરી કરવા માટે મોકલી આપ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કોઈ અન્ય કારણોસર થયો હતો કે કેમ?
રવિન્દ્ર વાયકરે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર અમોલ કીર્તિકરને માત્ર 48 મતોથી હરાવ્યાતા. અગાઉ કીર્તિકરને આ બેઠક પર એક મતથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ રિકાઉન્ટિંગમાં વાઈકર 48 મતથી જીત્યા. રવિન્દ્ર વાયકરને 4 લાખ 52 હજાર 644 વોટ મળ્યા છે. જ્યારે ઉદ્ધવ જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4 લાખ 52 હજાર 596 મત મળ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
