શું ખરેખર 18 ઓગસ્ટના રોજ થયું હતું નેતાજીનું મૃત્યુ?
France secret agency report, Neta Subhash Chandra Bose didn't died in a plane crash on 18th August, 1945.
છેલ્લા કેટલાયે સમયથી માનવામાં આવી રહ્યું હતું કે, નેતા સુભાષ ચંદ્ર બોઝના રહસ્યમયી મૃત્યુ પરથી પડદો ઉંચકાઇ ગયો છે. ભારત સરકાર દ્વારા સુભાષ ચંદ્ર બોઝને લગતા જે દસ્તાવેજો સાર્વજનિક કરવામાં આવ્યા હતા, તેમાં એ વાતની પુષ્ટિ થઇ હતી કે, નેતાજીનું મૃત્યુ 18 ઓગસ્ટ, 1945ના રોજ વિમાન દુર્ઘટનામાં થયું હતું. ત્યાર બાદ આ વિવાદ અને ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાયુ હોવાનું મનાઇ રહ્યું હતું. પરંતુ ફ્રાન્સના ગુપ્ત અહેવાલો અનુસાર, નેતા સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં નહોતું થયું.

પેરિસના ઇતિહાસકાર જે.બી.પી મૂર દ્વારા ફ્રાન્સની ગુપ્ત રિપોર્ટને આધારે આ દાવો કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, 'નેતાજીનું મૃત્યુ તાઇવાનની વિમાન દુર્ઘટનામાં નહોતું થયું, કારણ કે નેતાજી ક્યાં છે એ અંગે ડિસેમ્બર 1947 સુધી કોઇ જાણકારી નહોતી મળી. ફ્રાન્સના ગુપ્ત અહેવાલ અનુસાર, સુભાષ ચંદ્ર બોઝ 18 ઓગસ્ટ, 1945ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાંથી ઉગરી ગયા હતા. આ રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, 11 ડિસેમ્બર, 1947 સુધી તેમનું સરનામું અજ્ઞાત હતું.' નોંધનીય છે કે, ઇતિહાસકાર મૂર પેરિસના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનમાં પ્રોફેસર છે.
પ્રોફેસર મૂર દ્વારા કરવામાં આવેલ આ ખુલાસો વધુ રસપ્રદ એટલા માટે છે કારણ કે, વિયેતનામ અને ઇન્ડો-ચાઇના તરીકે ઓળખાતો એ પ્રદેશ જ્યાં વિમાન દુર્ઘટના ઘટી હતી, એ પ્રદેશ તે સમયે ફ્રાન્સ સરકારના કબજામાં હતો.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુના કોયડાને ઉકેલવા માટે ભારત સરકાર તરફથી અત્યાર સુધીમાં ત્રણ સમિતિની રચના કરવામાં આવી છે. આ હેતુસર વર્ષ 1956માં રચાયેલ શાહનવાઝ પંચ અને વર્ષ 1970માં રચાયેલ ખોસલા પંચ સમિતિ બંન્નેનું કહેવું હતું કે, 18 ઓગસ્ટ, 1945 રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ થયું હતું. વર્ષ 1999માં રચાયેલ ત્રીજી સમિતિ મુખર્જી કમિશન અનુસાર, આ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ નહોતું થયું, પરંતુ ભારત સરકાર દ્વારા મુખર્જી સમિતિના આ તારણને ફગાવી દેવામાં આવ્યું હતું.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
