આંતકીઓના ફંડિગ કેસમાં દિલ્હીને કાશ્મીરમાં અનેક જગ્યાએ પડી રેડ
એનઆઇએ ટેરર ફંડિક મામલે અનેક જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો. જાણો શું છે આ ટેરિર ફંડિગ?
એનઆઇએ, ટેરર ફંડિગથી જોડાયેલા કેસમાં શનિવારે દિલ્હી અને કાશ્મીરની અનેક જગ્યાઓ પર દરોડા પાડી વિગતો મેળવી રહી છે. એનઆઇએ એ કાશ્મીરમાં 14 જગ્યાએ દરોડા પાડ્યા છે. અને દિલ્હીમાં પણ 8 જગ્યાએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પહેલા એનઆઇએ કાશ્મીરમાં ટેરર ફંડિગને લઇને અલગાવવાદી નેતાઓથી પુછપરછ કરી ચૂકી છે. એનઆઇએ આ મામલે એફઆઇઆર પણ દાખલ કરી છે. તમને જણાવી દઇએ કે કાશ્મીરમાં પથ્થરમારો અને અશાંતિ ફેલવવા માટે પાકિસ્તાન ફંડિગ કરી રહી છે તે પુરતા પુરવા મળતા આ દરોડા પાડી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીધી કે આડકતરી રીતે પાકિસ્તાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવી રહ્યું છે તેવી માહિતી મળતી રહેતી હોય છે. ત્યારે જો કાશ્મીરમાં આતંકી ગતિવિધિ ઓછી કરવી હોય તો આતંકીઓને મળી રહેલું આ ફંડિગ રોકવું ખૂબ જ જરૂરી છે. ત્યારે લાગી રહ્યું છે કે સરકાર આ જ કારણે આ તપાસ ચલાવી રહ્યું છે. જેથી આંતકવાદની મૂળિયા કાપવામાં મદદ મળી શકે.