નિર્ભયા કેસઃ તિહાર જેલમાં ‘સુસાઈડ વૉચ' પર ચારે દોષી, ‘હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયા
તિહારમાં ચારે દોષિતોને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સામે આવી રહેલી માહિતી મુજબ ચારે દોષિત તિહાર જેલમાં ‘સુસાઈડ વૉચ' પર છે.
નિર્ભયા કેસના ચારે ગુનેગારોનુ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટ જારી કર્યુ છે, જે મુજબ ચારે હેવાનોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવાના છે. ચારમાંથી બે દોષીતોએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. બીજી તરફ તિહારમાં ચારે દોષિતોને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સામે આવી રહેલી માહિતી મુજબ ચારે દોષિત તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર છે.

‘સુસાઈડ વૉચ' પર ચારે દોષી
18,000 કેદીઓવાળી ભારતની સૌથી મોટી જેલમાં સૌથી સંરક્ષિત કેદીઓમાં મુંબઈના અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન, દિલ્લા ડૉન નીરજ બવાના કે બિહારના રાજનેતા મોહમ્મદ શહાબુદ્દીન નથી પરંતુ નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસના ચારે દોષી છે જેમને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાની છે. જેલ અધિકારીઓએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે દોષી મુકેશ સિંહ (32), પવન કુમાર ગુપ્તા (25), અક્ષય ઠાકુર (31) અને વિનય શર્મા (26)ને 16 જાન્યુઆરીના રોજ તિહારની જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ફાંસી આપવામાં આવશે, તેઓ હાલમાં ‘સુસાઈડ વૉચ' પર છે, તિહાર જેલમાં આવુ ક્યારેય જોવામાં આવ્યુ નથી.

દરેક સેલમાં લાગ્યા છે બે સીસીટીવી કેમેરા
ચાર દોષીતોને જેલમાં હાઈ રિસ્ક વૉર્ડના એક ભાગમાં અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. રહેવાની જગ્યા લગભગ 6 ફૂટ 8 ઈંચ છે, કોઈ લોખંડની રેલિંગ કે બીમ ઉપરના ભાગમાં નથી. સેલનો કોઈ પણ ભાગ કોઈ કપડાથી ઢાકી શકાય તેમ નથી. ચોવીસે કલાક બે ગાર્ડ ફરજ પર તૈનાત હોય છે અને અહીં સુધી કે જ્યારે કેદી અટેચ શૈચાલયનો યુઝ કરે તો તેમનુ માથુ દેખાય છે. સેલની બે વાર ચેકિંગ થાય છે. દરેક સેલમાં બે સીસીટીવી કેમેરા મોનિટરીંગ માટે લગાવવામાં આવ્યા છે.

લાઈવ ફિડનુ નિરીક્ષણ થાય છે દરેક પળ
કંટ્રોલ રૂમમાંથી દર વખતે લાઈવ ફીડનુ નિરીક્ષણ કરવામાં આવે છે. ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કર્યા બાદ 1 ફેબ્રુઆરીના રોજ તિહાર જેલમાં ફાંસી આપવાની છે. આ પહેલા ચાર દોષિતોમાંથી એક વિનયે શુક્રવારે દિલ્લીની અદાલતને અપીલ કરી હતી કે તે તિહાર જેલના અધિકારીઓને નિર્દેશ આપે કે તેને 170 પાનાંની અંગત ડાયરી સોંપવામાં આવે. વિનયે કોર્ટને અપીલ કરી છે કે તેની અંગત ડાયરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે દયા અરજી સાથે મોકલવામાં આવે.

ચારેને આપવાની છે તિહાર જેલમાં ફાંસી
સાત વર્ષ પહેલા દિલ્લીના ગેંગરેપ-મર્ડર કેસમાં કોર્ટે ચારે દોષિતોને મોતની સજા સંભળાવી છે. આ ચારેને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવાની છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં દિલ્લીમાં 6 નરાદધમોએ ચાલતી બસમાં પેરામેડીકલની છાત્રા નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો હતો. દૂર્ઘટના સમયે પીડિતાનો દોસ્ત પણ બસમાં હતો. દોષિતોએ લોખંડની રૉડથી પીડિતાપર વાર કર્યો હતો. ત્યારબાદ પીડિતા અને દોસ્તને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ પીડિતાએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
