નિર્ભયા કેસઃ તિહાર જેલમાં ‘સુસાઈડ વૉચ' પર ચારે દોષી, ‘હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયા
તિહારમાં ચારે દોષિતોને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સામે આવી રહેલી માહિતી મુજબ ચારે દોષિત તિહાર જેલમાં ‘સુસાઈડ વૉચ' પર છે.
નિર્ભયા કેસના ચારે ગુનેગારોનુ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટ જારી કર્યુ છે, જે મુજબ ચારે હેવાનોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવાના છે. ચારમાંથી બે દોષીતોએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. બીજી તરફ તિહારમાં ચારે દોષિતોને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સામે આવી રહેલી માહિતી મુજબ ચારે દોષિત તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર છે.

‘સુસાઈડ વૉચ' પર ચારે દોષી
18,000 કેદીઓવાળી ભારતની સૌથી મોટી જેલમાં સૌથી સંરક્ષિત કેદીઓમાં મુંબઈના અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન, દિલ્લા ડૉન નીરજ બવાના કે બિહારના રાજનેતા મોહમ્મદ શહાબુદ્દીન નથી પરંતુ નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસના ચારે દોષી છે જેમને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાની છે. જેલ અધિકારીઓએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે દોષી મુકેશ સિંહ (32), પવન કુમાર ગુપ્તા (25), અક્ષય ઠાકુર (31) અને વિનય શર્મા (26)ને 16 જાન્યુઆરીના રોજ તિહારની જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ફાંસી આપવામાં આવશે, તેઓ હાલમાં ‘સુસાઈડ વૉચ' પર છે, તિહાર જેલમાં આવુ ક્યારેય જોવામાં આવ્યુ નથી.

દરેક સેલમાં લાગ્યા છે બે સીસીટીવી કેમેરા
ચાર દોષીતોને જેલમાં હાઈ રિસ્ક વૉર્ડના એક ભાગમાં અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. રહેવાની જગ્યા લગભગ 6 ફૂટ 8 ઈંચ છે, કોઈ લોખંડની રેલિંગ કે બીમ ઉપરના ભાગમાં નથી. સેલનો કોઈ પણ ભાગ કોઈ કપડાથી ઢાકી શકાય તેમ નથી. ચોવીસે કલાક બે ગાર્ડ ફરજ પર તૈનાત હોય છે અને અહીં સુધી કે જ્યારે કેદી અટેચ શૈચાલયનો યુઝ કરે તો તેમનુ માથુ દેખાય છે. સેલની બે વાર ચેકિંગ થાય છે. દરેક સેલમાં બે સીસીટીવી કેમેરા મોનિટરીંગ માટે લગાવવામાં આવ્યા છે.

લાઈવ ફિડનુ નિરીક્ષણ થાય છે દરેક પળ
કંટ્રોલ રૂમમાંથી દર વખતે લાઈવ ફીડનુ નિરીક્ષણ કરવામાં આવે છે. ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કર્યા બાદ 1 ફેબ્રુઆરીના રોજ તિહાર જેલમાં ફાંસી આપવાની છે. આ પહેલા ચાર દોષિતોમાંથી એક વિનયે શુક્રવારે દિલ્લીની અદાલતને અપીલ કરી હતી કે તે તિહાર જેલના અધિકારીઓને નિર્દેશ આપે કે તેને 170 પાનાંની અંગત ડાયરી સોંપવામાં આવે. વિનયે કોર્ટને અપીલ કરી છે કે તેની અંગત ડાયરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે દયા અરજી સાથે મોકલવામાં આવે.

ચારેને આપવાની છે તિહાર જેલમાં ફાંસી
સાત વર્ષ પહેલા દિલ્લીના ગેંગરેપ-મર્ડર કેસમાં કોર્ટે ચારે દોષિતોને મોતની સજા સંભળાવી છે. આ ચારેને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવાની છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં દિલ્લીમાં 6 નરાદધમોએ ચાલતી બસમાં પેરામેડીકલની છાત્રા નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો હતો. દૂર્ઘટના સમયે પીડિતાનો દોસ્ત પણ બસમાં હતો. દોષિતોએ લોખંડની રૉડથી પીડિતાપર વાર કર્યો હતો. ત્યારબાદ પીડિતા અને દોસ્તને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ પીડિતાએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો હતો.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
