Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિર્ભયા કેસઃ SCએ અક્ષયની પુનર્વિચાર અરજી ફગાવી, પિતાએ કહ્યુ અમે હજુ પણ સંતુષ્ટ નથી

નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડમાં દોષીતોના મોતની સજા યથાવત રાખવાના સર્વોચ્ચ અદાલતના 2017ના ચુકાદા સામે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર, 2012માં થયેલ નિર્ભયા બળાત્કાર અને હત્યાકાંડમાં દોષીતોના મોતની સજા યથાવત રાખવાના સર્વોચ્ચ અદાલતના 2017ના ચુકાદા સામે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. ચારમાંથી એક દોષી અક્ષય કુમાર સિંહે આ અરજી દાખલ કરી હતી. પીડિતાના પરિજનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે દોષીતોમાંથી એક અક્ષય કુમાર સિંહની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. અમે હજુ પણ સંતુષ્ટ નથી. જ્યાં સુધી પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરન્ટ જારી કરવામાં નહિ આવે અમે સંતુષ્ટ નહિ થઈએ.

badrinath singh

નિર્ભયાની મા આશા દેવીએ કહ્યુ હતુ કે અમે ઘણા વર્ષોથી પોતાની દીકરીને ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે. દૂર્ભાગ્યથી હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો પરંતુઅમે હાર નહિ માનીએ. નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટ દ્વારા અમારી લડાઈ ચાલુ રહેશે જેને મહિલાઓ સામે હિંસાને રોકવા માટે બનાવવામાં આવ્યુ છે.

પિતા બદ્રીનાથ સિંહે કહ્યુ હતુ કે પોતાની દીકરીના દોષિતોને ફાંસી આપવાની અમારી માંગને લોકો પાસેથી મળેલા સમર્થને અમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. આ ખૂબ જ દૂર્ભાગ્ય પૂર્ણ છે કે ઘટનાના સાત વર્ષ બાદ પણ આપણે દોષિતોને મોતની સજા નથી આપી શક્યા. અમે તેમને સજા મળવાની રાહ જોઈ રહ્યા છે. લોકોના સાથ માટે હું તેમનો આભાર માનવા ઈચ્છુ છુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X