કર્ણાટકમાં રાજકીય કટોકટીની સ્થિતિ નથી : રાજનાથ સિંહ

સોમવારે સવારે અંદાજે એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ રાજનાથ સિંહે જણાવ્યું કે કર્ણાટકની ભાજપ સરકાર પર કોઇ રાજકીય સંકટ નથી. વર્તમાન સરકાર તેમનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરશે. શેટ્ટાર સાથેની મુલાકાત દરમિયાન રાજ્યમાં વર્તમાન રાજકીય સ્થિતિ અને સંભાવનાઓ અંગે વિચાર કરવામાં આવ્યો હતો. આ સાથે શેટ્ટારી રાજનાથ સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અંગે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે આ મુલાકાત એવા સમયમાં થઇ છે કે જ્યારે પાછલા દિવસોમાં શેટ્ટારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ ભાજપના સિદ્ધાંતો સાથે કોઇ જ પ્રકારની બાંધ છોડ નહીં કરે, ભલે તેમની સરકારનું અસ્તિત્વ જોખમમાં મૂકાય. જો કે કર્ણાટક ભાજપે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે તેમની સરકાર રાજકીય સંકટમાંથી ઉગરી જશે.
કર્ણાટક જનતા પાર્ટીના પ્રમુખ બી એસ યેદુયીરપ્પાના વફાદાર 13 ધારાસભ્યોએ ગયા બુધવારે વિધાનસભા અધ્યક્ષ કે જી બોપૈયાની મુલાકાત લઇને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામા સોંપી દીધા હતા. જો કે બોપૈયા હાજર નહીં હોવાથી તેમણે રાજીનામા કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજને સોંપ્યા હતા.
ત્યાર બાદ શેટ્ટારે ભાજપના 13 ધારાસભ્યોના રાજીનામા છતાં પોતાની સરકાર બહુમતમાં હોવાનો દાવો કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે જો વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે તો તેનો સામનો કરવા માટે તેઓ તૈયાર છે. શેટ્ટારે યેદીયુરપ્પાને કટ્ટર સમર્થક એમ પી રેણુકાચાર્યની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારી પાસે બહુમત છે. અમારી સરકારને કોઇ જોખમ નથી.
-
ટ્રમ્પ ટેરિફ: દવાઓ પર લાગશે 100% ટેરિફ! ટ્રમ્પે મેટલ ઈમ્પોર્ટના નિયમો કડક કર્યા, ભારત પર કેટલી અસર થશે? -
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video



Click it and Unblock the Notifications
