NPR માટે દસ્તાવેજ નહિ દેખાડવા પડે, APPથી થઈ શકશે નોંધણી
NPR માટે દસ્તાવેજ નહિ દેખાડવા પડે, APPથી થઈ શકશે નોંધણી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મંગળવારે કેટલાય મહત્વના ફેસલા લેવામાં આવ્યા. સરકારે જ્યાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને મંજૂરી આપી દીધી ત્યારે વસ્તીગણતરી માટે 8754.23 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી મળી છે. બેઠક બાદ પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એમ પણ સ્પષ્ટ કર્યું કે એનપીઆર માટે નાગરિકતા એપ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકછે અને આના માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ દેખાડવાની જરૂરત નથી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આગલા વર્ષે 1 એપ્રિલથી વસ્તીગણતરી શરૂ થઈ જશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમણે જણાવ્યું કે વસ્તીગણતરીના ડેટા એકઠા કરવા માટે આ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જણાવી દઈએ કે ભારતની આઝાદી બાદથી અત્યાર સુધી 7 વખત વસ્તીગણતરી કરવામાં આવી ચૂકી છે, હવે આઠમી વાર 2020માં વસ્તીગણતરી થશે. જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે ભારતની વસ્તીગણતરી 2021 માટે 8754.23 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના અપડેશન માટે 3941.35 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.
NRCનો NPR સાથે કોઈ સંબંધ નથી
વિપક્ષના રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એક જ હોવાના દાવા પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ બિલકુલ ખોટું છે. અમે ક્યારેય નથી કહ્યું કે જનસંખ્યા રજિસ્ટરનો ઉપયોગ એનઆરસી તરીકે થશે. હું આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢું છું. બંને જ યોજનાઓ અલગ છે અને તેનો આંતરિક રીતે કોઈ સંબંધ નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
