‘ટુકડે-ટુકડે' ગેંગ વિશે RTIમાં સવાલ પૂછતા સરકારે આપ્યો આ જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યુ છે કે તેમની પાસે ‘ટુકડે-ટુકડે' ગેંગ અંગેની કોઈ માહિતી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યુ છે કે તેમની પાસે 'ટુકડે-ટુકડે' ગેંગ અંગેની કોઈ માહિતી નથી. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતાના ભાષણોમાં 'ટુકડે-ટુકડે' ગેંગનો ઉલ્લેખ કરે છે. આ વિશે કાર્યકર્તા સાકેત ગોખલેએ 26 ડિસેમ્બરે એક આરટીઆઈ દાખલ કરી હતી. જે હેઠળ તેમણે એ પૂછ્યુ હતુ કે ગૃહમંત્રીએ દિલ્લીમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે 'ટુકડે-ટુકડે' ગેંગને પાઠ ભણાવવાની જરૂર છે. આ વિશે આરટીઆઈમાં ઉલ્લેખ કરવામાં આવ્યો.

‘અધિકૃત રીતે અસ્તિત્વમાં નથી'
આના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યુ કે, ‘તેમની પાસે ‘ટુકડે-ટુકડે' ગેંગ વિશે કોઈ પણ માહિતી નથી. સાકેત ગોખલેએ આ બાબતે ટ્વિટ કર્યુ અને કહ્યુ કે ગૃહ મંત્રાલયે મારી આરટીઆઈનો જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલય પાસે ‘ટુકડે-ટુકડે' ગેંગની કોઈ માહિતી નથી. તેઓ ખોટા છે. ‘ટુકડે-ટુકડે' ગેંગ અધિકૃત રીતે અસ્તિત્વમાં જ નથી અને આ અમિત શાહની કલ્પનાનુ એક અનુમાન માત્ર છે.'

ગૃહમંત્રીને પૂછ્યો સવાલ
એક અન્ય ટ્વિટમાં ગોખલેએ કહ્યુ કે, ‘તે હવે ચૂંટણી પંચને આ બાબતે જાણવાજોગ લેવા માટે કહેશે. તેમણે કહ્યુ, ગૃહમંત્રી અમિત શાહ જણાવે કે તેમણે રેલીમાં આ શબ્દનો ઉપયોગ કેમ કર્યો અથવા તો તે જનતા સામે જૂઠ બોલવા અને ગુમરાહ કરવા માટે સાર્વજનિક રીતે માફી માંગે. આરટીઆઈ દાખલ કરતી વખતે ગોખલેએ કહ્યુ હતુ કે તે સવાલ ખૂબ જ ગંભીરતા સાથે પૂછી રહ્યા છે અને જો નક્કી સમય (26 જાન્યુઆરી સુધી) જવાબ ન મળ્યો તો આ બાબતને મુખ્ય માહિતી કમિશ્નર સુધી લઈને જશે.'
|
ક્યારથી શરૂ થયો ‘ટુકડે-ટુકડે' ગેંગનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે ‘ટુકડે-ટુકડે' ગેંગની ચર્ચા પહેલી વાર ફેબ્રુઆરી 2016માં થઈ હતી. એ સમયે દિલ્લીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં દેશ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. નારા લગાવનાર અને તેમનુ સમર્થન કરનાર માટે ‘ટુકડે-ટુકડે' ગેંગનો ત્યારથી જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી ટુકડે-ટુકડે ગેંગ સામાન્ય બોલચાલનો શબ્દ બની ગયો છે જેનો ઘણા નેતાઓએ ઉપયોગ કર્યો છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
