ભ્રષ્ટાચાર કેસમાં વરિષ્ઠ અધિકારીઓની તપાસ માટે મંજૂરી જરૂરી નથી : SC
નવી દિલ્હી, 6 મે : સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની એક બેંચે જણાવ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓની તપાસ કરવા માટે આગોતરા મંજુરી લેવી જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવતા કહ્યું કે ભ્રષ્ટાચારના આરોપોમાં વરિષ્ઠ અધિકારીઓની વિરુદ્ધ તપાસ માટે સરકારની અનુમતિ લેવા સંબંધી કાયદાકીય જોગવાઇ અમાન્ય અને ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે ભ્રષ્ટાચારના કેસોમાં અધિકારીઓની વિરુદ્ધ આરોપનામુ દાખલ કરવા માટે પણ મંજુરીની જરૂર નથી.

મુખ્ય ન્યાયાધીશ આર એમ લોઢાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠે દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ કાયદાની કલમ 6-એની જોગવાઇ પર વિચાર કર્યા બાદ આ વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ કાયદા અંતર્ગત ભ્રષ્ટાચારના કેસોમાં પૂર્વ મંજૂરી વિના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી શકાતી ન હતી.
આ બંધારણીય પીઠના સભ્યોમાં ન્યાયમૂર્તિ એ કે પટનાયક, ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાય, ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એફએમઆઇ કલીફુલ્લાનો સમાવેશ થાય છે.
બંધારણીય પીઠે જણાવ્યું કે અમે આ કાયદાની કલમ 6-એને ગેરકાયદેસર અને બંધારણની કલમ 14નો બંઘ કરનારી ઘોષિત કરીએ છીએ. આ કલમ અંતર્ગત સંયુક્ત સચિવ અથવા તેમનાથી ઊંચા પદ પર આસીન અધિકારીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત આરોપની તપાસ પહેલા સરકારી મંજૂરી લેવી જરૂરી છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
