Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

14 નહી 15 ઓગષ્ટના રોજ આઝાદ થયું હતું પાકિસ્તાન!

નવી દિલ્હી: એક તારીખે બે દેશોના ટુકડા કરી દિધા પરંતુ આ તારીખ આ બંને દેશોને પરસ્પર જોડે છે. વાત થઇ રહી છે ભારત-પાકિસ્તાનની અને બે દેશોના સ્વતંત્રતા દિવસની. 14 ઓગષ્ટના રોજ પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે પરંતુ તેનો સ્વતંત્રતા દિવસની ઓફિશિયલ તારીખ પણ 15 ઓગષ્ટ 1947 જ છે.

મોહંમદ અલી જિણાના સંદેશમાં ઉલ્લેખ
પાકિસ્તાનના સંસ્થાપક મોહંમદ અલી જિણા તો પાકના પ્રથમ ગવર્નર જનરલ પણ હતા તેમના તે સંદેશથી એ વાતની પુષ્ટિ થાય છે. મોહંમદ અલી જિણાએ આઝાદ થયા બાદ દેશવાસીઓને આપેલા પોતાના સંદેશમાં કહ્યું હતું, 'મારા માટે એક ભાવનાત્મક અને ખુશીની પળ છે કે હું તમને બધાને મારો શુભેચ્છા સંદેશ મોકલી રહ્યો છું.

15 ઓગષ્ટ સ્ટેટ ઑફ પાકિસ્તાનની આઝાદી અને તેની સંપ્રભુતાનો દિવસ છે. આ દિવસ આપણી એક મુસ્લિમ દેશના બનવાની તકદીરને સાચી થવાની ઓળખ છે જેના માટે ઘણા લોકોએ પોતાની કુરબાની આપી છે.' મોહંમદ અલી જિણાએ પોતાના દેશવાસીઓને આપેલા સંદેશમાં આ વાત કહી હતી.

કેમ બદલી આઝાદીની તારીખ

કેમ બદલી આઝાદીની તારીખ

ઓગષ્ટ 1948માં પાકિસ્તાને પોતનાઅ સ્વતંત્રતા દિવસની તારીખને બદલી દિધી. જો કે તે દિવસ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ અને રમજાનનો પાવન મહિનો એક જ તારીખે એટલે કે 15 ઓગષ્ટે આવી રહ્યો હતો. જેથી પાકિસ્તાને તારીખને બદલી નાખી.

પાકિસ્તાન માટે દુઆ

પાકિસ્તાન માટે દુઆ

15 ઓગષ્ટ 1947ના રોજ રમજાન મહિનાનું અંતિમ રોજું હતું અને તે સમયે મોહંમદ અલી જિણાએ દુનિયાભરના મુસલમાનોને અનુરોધ કર્યો કે બધી મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવે તો પાકિસ્તાન માટે દુઆ કરે જેથી ઇશ્વર પાકિસ્તાનને મહાન દેશ બનાવવા માટે નાગરિકોને યોગ્ય રસ્તો બતાવે.

પોસ્ટલ સ્ટેમ્પમાં પણ 15 ઓગષ્ટ નોંધાઇ

પોસ્ટલ સ્ટેમ્પમાં પણ 15 ઓગષ્ટ નોંધાઇ

આ ઉપરાંત જો વિશેષજ્ઞોનું માનીએ તો આ તથ્યને પણ નજરઅંદાજ કરવું મુશ્કેલ છે કે પાકિસ્તાનને ભારતથી અલગ એક ઓળખાણ જોઇતી હતી અને તેનું આ પગલું એ તરફ ઇશારો કરે છે. જુલાઇ 1948ન રોજ પાકિસ્તાનમાં જે પોસ્ટલ સ્ટેમ્પ રિલીજ થઇ હતી તેમાં પણ એ વાત દર્શાવવામાં આવી કે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 15 ઓગષ્ટ 1947ના રોજ જ થતો હતો.

શું છે લોર્ડ માઉંટબેટનનો કિસ્સો

શું છે લોર્ડ માઉંટબેટનનો કિસ્સો

ભારતમાં બ્રિટિશ શાસનના અંતિમ વોયસરોય હોવાના લીધે લોર્ડ માઉંટબેટને ભારત અને પાકિસ્તાન, બંને દેશોમાં સ્વતંત્ર દિવસ સાથે જોડાયેલા આયોજનોમાં સામેલ થવાનું હતું.

અસુવિધાથી બચવા જાહેર કર્યો સ્વતંત્રતા દિવસ

અસુવિધાથી બચવા જાહેર કર્યો સ્વતંત્રતા દિવસ

કોઇપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે માઉંટબેટને 14 ઓગષ્ટના દિવસે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ જાહેર કરી દિધો હતો અને 15 ઓગષ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ જાહેર કરી દિધો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X