'રાજા ભૈયા બન્યા સપા-કોંગ્રેસની મિલીભગતનો શિકાર'

એક તરફ જ્યાં રાજા ભૈયા આ મામલામાં ગંભીર રીતે ફસાતા જોવા મળી રહ્યાં છે, તો બીજી તરફ યોગી આદિત્યનાથની વાત માનીએ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે મળીને રાજા ભૈયા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.
આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસ અને સપાની મિલીભગતનો તેઓ શિકાર બન્યા છે. અમુક લોકોને ખુશ કરવા માટે તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મામલે ન્યાયિક તપાસ થવી જોઇએ.
નોંધનીય છે કે ગત શનિવારે કુંડા ક્ષેત્રમાં ગ્રામ પ્રધાન અને તેમના ભાઇની હત્યાથી ઉત્તેજિત ગ્રામીણોએ ડીએસપી જિયાઉલ હકની હત્યા કરી નાંખી હતી, સીઓના પત્નીને જ્યારે મુખ્યમંત્રી મળવા ગયા હતા ત્યારે પીડિત પરિવારને 25-25 લાખ રૂપિયા આપવાની સાથોસાથ નોકરી આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
