For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રાજા ભૈયા બન્યા સપા-કોંગ્રેસની મિલીભગતનો શિકાર'

By Super
|
Google Oneindia Gujarati News

raja-bhaiya
પ્રતાપગઢ, 9 માર્ચઃ પ્રતાપગઢ જિલ્લાના કુંડા ક્ષેત્રમાં ડીએસપી જિયાઉલ હક હત્યાકાંડમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના પુર્વ મંત્રી રાજા ભૈયાને ભાજપના ધારાસભ્ય યોગી આધદિત્યનાથનું સમર્થન મળ્યું છે.

એક તરફ જ્યાં રાજા ભૈયા આ મામલામાં ગંભીર રીતે ફસાતા જોવા મળી રહ્યાં છે, તો બીજી તરફ યોગી આદિત્યનાથની વાત માનીએ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે મળીને રાજા ભૈયા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.

આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસ અને સપાની મિલીભગતનો તેઓ શિકાર બન્યા છે. અમુક લોકોને ખુશ કરવા માટે તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ મામલે ન્યાયિક તપાસ થવી જોઇએ.

નોંધનીય છે કે ગત શનિવારે કુંડા ક્ષેત્રમાં ગ્રામ પ્રધાન અને તેમના ભાઇની હત્યાથી ઉત્તેજિત ગ્રામીણોએ ડીએસપી જિયાઉલ હકની હત્યા કરી નાંખી હતી, સીઓના પત્નીને જ્યારે મુખ્યમંત્રી મળવા ગયા હતા ત્યારે પીડિત પરિવારને 25-25 લાખ રૂપિયા આપવાની સાથોસાથ નોકરી આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

English summary
BJP MP Yogi Adityanath today came out in support of controversial Kunda MLA Raja Bhaiya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X