કોંગ્રેસે હવે નરેન્દ્ર મોદીની તુલના યમરાજ સાથે કરી
નવી દિલ્હી, 6 એપ્રિલ: કોંગ્રેસે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર તેમની ગઇકાલની તે ટિપ્પણી માટે નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે દરેક બાળકનું કર્તવ્ય છે કે તે 'ભારત માતા' ઋણ ચુકવે. પાર્ટીની સાથે સાથે નરેન્દ્ર મોદીની તુલના યમરાજ સાથે કરી હોવાનું જોવા મળ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પ્રમાણે તેમને ગુજરાતનું ઋણ અદા કર્યું છે જો તે પ્રમાણે દેશનું ઋણ ચુકવવાનો દરેક ભારતીય નાગરિકની ફરજ છે. તો અમને ડર લાગે છે કે કોંગ્રેસે પૂર્વમાં નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કેવી રીત ગણાવ્યા.
રશિદ અલ્વીએ કહ્યું હતું કે આ પ્રકારનું ઋણ ઉતારવા માટે તે દિલ્હી આવશે તો અમને ડર લાગે છે. ભગવાનની અમારી પર છત્રછાયા બનેલી છે. રશિદ અલ્વીને પુછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સીઆઇઆઇમાં પોતાના ભાષણમાં એમ કહેતાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો કે કોઇ વ્યક્તિ ઘોડા પર સવાર થઇને આવવાનો નથી જે દેશની બધી સમસ્યાનું સમાધાન કરી દેશે.

રશિદ અલ્વીએ કહ્યું હતું કે જો તેમનો ઇરાદો નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરવાનો હોત તો તે કોઇના ઘોડા પર આવવાની વાત ન કરતાં પરંતુ ભેંસ પર સવાર થઇને આવવાની વાત કરતા. હિન્દુ પૌરાણિક કથાઓમાં ભેંસને યમરાજની સવારી બતાવવામાં આવી છે. રશીદ અલ્વીએ કહ્યું હતું કે રાહુલજીએ ઘોડા પર આવવાની વાત કરી હતી તે નિશ્વિતરૂપથી મસીહાની વાત કરી રહ્યાં હશે.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે ફક્ત નરેન્દ્ર મોદીએ દેશનું ઋણ ચુકવવાનું નથી પરંતુ દેશના દરેક નાગરિકને અદા કરવાનું છે. તેમને કહ્યું હતું કે ગામમાં રહીને પણ દેશનું ઋણ ચુકવી શકાય. જો કોઇ વિચારે છે કે દિલ્હી આવીને દેશનું ઋણ ઉતારી શકાય તો તે વ્યક્તિની વિચારસણી હોય શકે. લોકોની અલગ-અલગ ઇચ્છાઓ હોઇ શકે.
ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં કહ્યું હતું કે દરેક બાળકનું કર્તવ્ય છે કે ભારતમાતાનું ઋણ ચુકવે. તેમને કહ્યું હતું કે ફક્ત નરેન્દ્ર મોદી જ નહી પરંતુ દરેક બાળક અને નાગરિકના માથે ભારતમાતાનું ઋણ છે, આ તેનું કર્તવ્ય છે જ્યારે અવસર આવે ત્યારે તેને ચુકવવું જોઇએ. એક શિક્ષક બાળકને ભણાવીને આમ કરે છે. નરેન્દ્ર મોદીએ દરેકને ઋણ ચુકવવાની વાત કરી હતી. મને આશા છે કે ભારતમાતા આર્શિવાદ આપે છે તો કોઇ વ્યક્તિએ ઋણ ચુકવ્યા વિના જતો નથી.
બીજી તરફ ભારતનું ઋણ ચુકવવાનો સમય આવવા અંગે નરેન્દ્ર મોદીના નિવેદન પર મનિષ તિવારીએ કહ્યું હતું કે ભારતના વિચારમાં વિશ્વાસ રાખનાર ભારતીય મૂલ્યો ની અનેકતામાં વિશ્વાસ રાખનાર ભારતીય સંવિધાનના મૂલ્યોની રક્ષા કરવા પ્રત્યે પ્રતિબદ્ધ એક વ્યક્તિ તરીકે મને ગુજરાતના મુખ્યમંત્રીના નિવેદનોથી ચિંતા થાય છે. મને આશા છે કે તેમને 2002માં જે ગુજરાતમાં કર્યું હતું તે ભારતમાં કરે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
