જસ્ટિસ કાટજૂ - મહાત્મા ગાંધી બ્રિટિશરોના એન્જન્ટ હતા
સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને પ્રેસ કૉસિંગ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેયરપર્સન જસ્ટિસ માર્કન્ડેય કાટજૂ ફરી એક વાર પોતાના વિવાદિત કથનોના કારણે ચર્ચામાં છે.
આ વખતે જસ્ટિસ કાટજૂએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઇને વિવાદિત કથન કર્યું છે. કાટજૂએ ગાંધીજી પર અંગ્રેજી શાસકોના એજન્ટ હોવાનો આરોપ મૂક્યો છે.

પોતાના બ્લોગ દ્વારા કાટજૂ મહાત્મા ગાંધીને અંગ્રેજોના એજન્ટ કહી આરોપ લગાવ્યો છે કે ગાંધીજીએ ભારતને મોટું નુક્શાન પહોંચાડ્યું છે. વધુ કાટજૂએ કહ્યું છે કે બાપૂએ રાજનિતિમાં ધર્મને ધૂસાડ્યો. જેના કારણે બ્રિટિશરોની ફૂટ પાડો રાજ કરોની નિતિને ફાયદો થયો.
આ ઉપરાંત, કાટજૂ લખ્યું કે ગાંધીજી પોતાના તમામ ભાષણમાં રામરાજ્ય, બ્રહ્મચર્ય, ગૌ રક્ષા જેવા હિંદુવાદી વિચારોને વ્યક્ત કરતા હતા. જેનાથી મુસ્લિમ લીગ જેવા સંગઠનો તરફ મુસ્લમાનો આકર્ષિત થતા હતા.
વધુમાં તેમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન પર પણ સવાલ ઉભો કર્યો. અને કહ્યું કે ક્રાંતિકારી આંદોલનને સત્યાગ્રહ તરફ વાળી ગાંધી બાપૂએ બ્રિટિશરોનો જ ફાયદો કર્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
