For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NTPC દુર્ધટના: રાહુલ ગાંધી સુરતથી રાયબરેલી જવા નીકળ્યા

એનટીપીસી બ્લાસ્ટ પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની નવસર્જન યાત્રા અધુરી છોડીને રાયબરેલી જવા નીકળી ગયા છે. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

રાયબરેલી જિલ્લામાં આવેલ એનટીપીસી પ્લાન્ટમાં મોટી દુર્ધટના સર્જાતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમની નવસર્જન યાત્રા અડધેથી છોડી રાયબરેલી જવા નીકળી ગયા છે. ઉલ્લેખનીય છે કે 500 મેગાવોટના યુનિટ નંબર 6માં બોઇલર ફાટવાથી 25 મજૂરોના મોત થયા છે અને 100 વધુ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે પીડિતોને મળવા માટે રાહુલ ગાંધી સુરતથી રાયબરેલી જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે રાયબરેલી સોનિયા ગાંધીનો લોકસભા મતવિસ્તાર છે. અને ગાંધી પરિવારનો આ વિસ્તારથી જૂનો સંબંધ છે.

rahul gandhi

સાથે જ 3 તારીખે બપોર સુધી રાહુલ ગાંધી વળી પાછા ગુજરાતમાં આવીને તેમની નવસર્જન યાત્રામાં જોડાશે. ત્યાં સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ નવસર્જન યાત્રાને આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધાવાની શક્યતા છે. ત્યારે સરકાર દ્વારા મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાહુલ ગાંધી પણ પીડિતોના પરિવારને મળીને કોંગ્રેસ તરફથી કોઇ સહાય આપશે તેવી સંભાવના રહેલી છે.

English summary
NTPC Blast: In Middle Of Gujarat Yatra, Rahul Gandhi Heads To Raebareli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X