પાકિસ્તાનને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંધન, BSFનો જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થયેલા સીઝફાયરમાં પશ્ચિમ બંગાળના બીએસએફ જવાન આર પી હજરા શહીદ થયા છે. જાણો આ ખબર અંગે વધુ અહીં

પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન થવાના કારણે બીએસએફનો વધુ એક જવાન શહીદ થયો છે. ગુરુવારે મોડી રાતે જવાન શહીદ થવાની માહિતી મળી છે. પાકિસ્તાન રેન્જર્સની તરફથી અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં આંતરાષ્ટ્રીય સીમા પર મોર્ટાર શેલિંગ ફેંકવામાં આવ્યા હતા. જેમાં આ ભારતીય જવાનની મોત થઇ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી ફાયરિંગ પછી ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. જેના કારણે આંતરાષ્ટ્રીય સીમાથી જોડાયેલા ગામોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની તરફથી બે દિવસ પહેલા પણ ગોળીબારી થઇ હતી. જેમાં ભારતે વળતો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ ફાયરિંગમાં બે દિવસ પહેલા 28 વર્ષીય લોકનાયક યોગેશ કુમારની મોત થઇ હતી. જે મહારાષ્ટ્રના ઘુલે જિલ્લાના રહેવાસી હતા. યોગેશ કુમારની મોત પછી ભારતીય સેનાએ જબરદસ્ત ગોળીબારી કરી હતી. જેમાં પાકિસ્તાનના સાત જવાનોની મોત થઇ હતી. પાકિસ્તાનના આ સાત જવાનોમાં એક મેજરનો પણ સમાવેશ થાય છે.

India

ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીએ જે બીએસએફ જવાનની મોત તે પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. તેમનું નામ આર પી હજરા હતું. નોંધનીય છે કે પોતાના જન્મદિવસના અવસરે જ તે પાકિસ્તાનની તરફથી થયેલ ગોળીબારીમાં શહીદ થયા હતા. તે બીએસએફમાં હેડ કોસ્ટેબલ તરીકે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સાંબામાં પાકિસ્તાન તરફથી ધુસણખોરી કરતા આંતકીઓને પણ બીએસએફના જવાનોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. સુત્રોનું માનીએ તો પાકિસ્તાન હાલ સીઝફાયર એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે શરદી પૂરી થાય તે પહેલા વધુમાં વધુ આંતકીઓને સીમા પાર ભારતમાં મોકલવા માંગે છે. નોંધનીય છે કે 2017માં કુલ 860 સીઝફાયર ઉલ્લંધન સામે આવ્યા છે. આ સીઝફાયરની ગત વર્ષ કરતા વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X