ભાજપના નવા ચૂંટાયેલા સાંસદો માટે સૂરજકુંડમાં તાલીમ શિબિર, મોદી આપશે તાલીમ
સૂરજકુંડ, 28 જૂન : ભાજપે તેના નવા ચૂંટાઇ આવેલા સાંસદો માટે હરિયાણાના સૂરજકુંડમાં 28 જૂન, 2014થી બે દિવસ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નરેન્દ્ર મોદીની પાઠશાળા છે. જેમાં ભાજપના નવા સાંસદોને રાજનીતિ, સમાજજીવન, રાજકીય વ્યવહાર વગેરે વિષયોના પાઠ ભણાવવામાં આવશે. આ શિક્ષણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આપશે.
નરેન્દ્ર મોદીની આ પાઠશાળામાં નવા સાંસદોને ખાસ કરીને સંસદ ભવનમાં લોકસભામાં કેવી શિસ્ત જાળવવી, લોકપ્રતિનિધિ તરીકે સંસદમાં હાજરી આપતા સમયે મગજમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જેવા વિષયો પર માહિતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. આ ઉપરાંત મીડિયા સાથેના સંબંધો અને મીડિયામાં કેવી રીતે નિવેદનો આપવા અને સાંસદોના અધિકાર અને કર્તવ્ય શું છે તે અંગે પણ વાત કરવામાં આવશે. આ અંગે રાજનાથ સિંહ પણ જરૂરી ટિપ્સ આપશે.

આ તાલીમ સત્રમાં લોકસભા ચૂંટણીઓમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવેલા 162 સાંસદોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 18 રાજ્યસભા સાંસદો પણ છે. આ તાલીમ શિબિરનું સમાપન પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી કરશે. બે દિવસની તાલીમ શિબિરમાં કુલ 11 સત્ર હશે જેમાં મોદી, રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓ સંબોધન કરશે.
મોદી તમામ સંસદસભ્યોને ટેક્નોલોજીનું જ્ઞાન લેતા રહેવા જણાવશે. તમામ સાંસદોને પોતાનું ટ્વિટર એકાઉન્ટ રાખવા જણાવી દેવાયું છે. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ સંસદસભ્યો પાસથી એક-એક હજાર રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો છે. ટ્રેનિંગ કેમ્પમાં તમામ સાંસદો માટે રહેવા તથા જમવાની સગવડતા કરવામાં આવી છે. જમવાનું માત્ર શુદ્ધ શાકાહારી જ મળશે.
નોંધનીય છે કે સરકાર તરફથી લોકસભામાં પ્રથમવાર ચૂંટાયેલા 315 સભ્યો માટે નવી દિલ્હીમાં 30 જૂનથી તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન કરવાના છે. ત્યાર બાદ 7 જૂનથી એક મહિના સુધી ચાલનારુ બજેટ સત્ર શરૂ થશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
