મરાઠી લેખક લક્ષ્મણ માને પર ત્રણ મહિલાનો બળાત્કારનો આરોપ

મહારાષ્ટ્રના સતારા જકાતવાડીમાં શારદાબાઇ પવાર આશ્રમમાં કામ કરનાર ત્રણ મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે માનેએ તેમને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ તેમને કન્ફોર્મ કરી દેશે. પીડિત મહિલાઓના જણાવ્યા અનુસાર તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતા વર્ષો સુધી તેમનું શારિરીક શોષણ કરવામાં આવ્યું હતું. લક્ષ્મણ માને આ આશ્રમના અધ્યક્ષ છે. આશ્રમના ટ્રસ્ટિઓની લિસ્ટમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારનું નામ પણ છે.
આરોપ અનુસાર, લક્ષ્મણ માનેએ વર્ષ 2007થી લઇને 2010 સુધી મહિલાઓની સાથે દુષ્કર્મ કર્યો. સતારાના એડિશનલ એસપી અમોલ તામ્બેએ જણાવ્યું કે આઇપીસીના સેક્શન 376 અંતર્ગત લક્ષ્મણ માને સામે ત્રણ અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે માનેની ખબર લગાવવા માટે પોલીસને મોકલવામાં આવી હતી પરંતુ તેઓ મળ્યા નહી. માનેના પુત્રનું કહેવું છે કે તેમના પિતાને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ માને મરાઠી સાહિત્ય જગતના નામી લેખક છે. લક્ષ્મણ માને પોતાની આત્મકથા 'ઉપરા'ના પ્રકાશન બાદ પ્રસિદ્ધિ પામ્યા હતા. જેમા તેમણે આદિવાસીઓની કથળતી હાલત અને તેમના જીવન સંઘર્ષને આબેહૂબ આલેખ્યું છે. ઉપરાને મરાઠી દલિત સાહિત્ય જગતમાં માઇલ સ્ટોન ગણવામાં આવ્યું. અને તેને 1981માં સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે તેમનું બીજું પુસ્તક 'બંધ દરવાજા' લખ્યું હતું. લક્ષ્મણ માનેને તેમના ઉમદા કાર્ય બદલ પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
