પોરબંદરમાં ઘુસણખોણીનો પ્રયત્ન: 10 મહત્વની માહિતી
નવી દિલ્હી, ભારત-પાક સમુદ્ર સીમા પર પોરબંદરની નજીક પાકિસ્તાની બોટ જોવામાં આવી. જ્યારે કોસ્ટ ગાર્ડે તેને રોકવાની કોશિશ કરી તો તેમણે બોટ સહિત ખુદને બ્લાસ્ટ કરી દીધા. ભારતમાં એકવાર ફરીથી ઘુસણખોરીની કોશીશ કરવામાં આવી છે.


- પોરબંદરની પાસે બે શંકાસ્પદ પાકિસ્તાની ફિશિંગ બોટ જોવામાં આવી છે.
- કોસ્ટગાર્ડ આ બે બોટને ઘેરવા માટે અભિયાન શરૂ કરી દીધું છે.
- કોસ્ટગાર્ડ બોટ ઘટના બાદ સમુદ્રી સરહદ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
- ગુજરાતમાં આવનારા દિવસોમાં વાઇબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય સમ્મેલન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં ભાગ લેવાના હતા, પરંતુ આ ઘટના બાદ મોદીની પોરબંદર યાત્રા રદ્દ કરવામાં આવી છે.
- આ ઘટના બાદ ગુજરાતના ગાંધીનગરમાં એરફોર્સ કોસ્ટ ગાર્ડ, નેવી, મરીન પોલીસ અને બીએસએફના અધિકારીની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી, આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે નેવી ક્લોકવાઇજ પેટ્રોલિંગ કરશે. કોસ્ટ ગાર્ડની સાથે સાથે મરીન પુલિસ પણ એંટી ક્લોકવાઇઝ પેટ્રોલિંગ કરશે.
- ગુજરાતના પોરબંદરથી 350 કિલોમીટર દૂર શંકાસ્પદ બોટ ધ્યાનમાં આવી. મુંબઇમાં થયેલા 26/11ના હુમલાની છઠ્ઠી વરસીના એક મહિના બાદ જ આ ઘટના ઘટી છે.
- રક્ષા મંત્રાલયની માનીએ તો બોટ કરાચીના કેટી બંદરથી આ બોટ આવી હતી.
- કોસ્ટગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટથી આ બોટનું લોકેશન માલૂમ કર્યું.
- કોસ્ટગાર્ડના રોકવાની ચેતાવણી આપવાના બાદ પણ આતંકવાદીઓ પોતાની બોટ રોકી નહીં.
- કોસ્ટગાર્ડે લગભગ એખ કલાક સુધી બોટનો પીછો કર્યો પરંતુ પાકિસ્તાની બોટ રોકાવાને સ્થાને બ્લાસ્ટ થઇ ગઇ.












Click it and Unblock the Notifications
