Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એમેઝોન પર રાધા-કૃષ્ણની 'અશ્લિલ' પેઇન્ટિંગ જોઇ લોકો થયા ગુસ્સે, બોયકોટ એમેઝોન થયુ ટ્રેન્ડ

સુપ્રસિદ્ધ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગઈ છે. એમેઝોન પર ભૂતકાળમાં પણ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આ વખતે વેબસાઈટ પર જન્માષ્ટમીના અવસર પર રાધાકૃષ્ણનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં

સુપ્રસિદ્ધ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગઈ છે. એમેઝોન પર ભૂતકાળમાં પણ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. આ વખતે વેબસાઈટ પર જન્માષ્ટમીના અવસર પર રાધાકૃષ્ણનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યૂઝર્સ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવા બદલ એમેઝોનનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે, જે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

રાધા-કૃષ્ણની પેઇન્ટિંગ પર યુઝર્સ ગુસ્સે થયા

રાધા-કૃષ્ણની પેઇન્ટિંગ પર યુઝર્સ ગુસ્સે થયા

આ વખતે ટ્વિટર પર એમેઝોનના બહિષ્કારનું કારણ રાધા-કૃષ્ણની પેઇન્ટિંગ છે જે જન્માષ્ટમીના અવસર પર એમેઝોન પર વેચાણ માટે મૂકવામાં આવી છે. હિંદુ જનજાગૃતિ સમિતિએ આ પેઈન્ટિંગને લઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે પગલાં લેવાની માંગ કરી છે. કમિટીએ બેંગલુરુના સુબ્રમણ્ય નગર પોલીસ સ્ટેશનને એક મેમોરેન્ડમ સુપરત કર્યું જેમાં પેઈન્ટિંગને અશ્લીલ ગણાવવા બદલ એમેઝોન સામે કાર્યવાહી કરવાની માંગ કરી.
આ મામલો સામે આવ્યા બાદ ટ્વિટર યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને તેમણે Boycott Amazon હેશટેગ સાથે ટ્વિટર પર આ પેઈન્ટિંગ વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું હતુ.

અન્ય વેબસાઇટ પર વેચાણ માટે પેઇન્ટિંગ

અન્ય વેબસાઇટ પર વેચાણ માટે પેઇન્ટિંગ

હિંદુ જનજાગૃતિ સમિતિએ એ પણ જણાવ્યું કે જન્માષ્ટમીના અવસર પર વિવાદિત પેઈન્ટિંગ અન્ય વેબસાઈટ એક્સોટિક ઈન્ડિયા પર પણ વેચાણ માટે મૂકવામાં આવી હતી. બેંગ્લોરનો એક વિક્રેતા આ પેઇન્ટિંગ એમેઝોન પર વેચી રહ્યો છે, જેના પછી બહિષ્કારની માંગ ઉઠી છે. તમને જણાવી દઈએ કે 18 અને 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, હિન્દુ તહેવારના દિવસે જ દેવતાનું અપમાન કરવા બદલ વપરાશકર્તાઓમાં વધુ ગુસ્સો છે.

વિરોધની અસર, પેઇન્ટિંગ દૂર કરવી પડી

વિરોધની અસર, પેઇન્ટિંગ દૂર કરવી પડી

હિન્દુ સંગઠને પાછળથી બીજી ટ્વિટ કરીને કહ્યું કે સોશિયલ મીડિયા પર ભારે વિરોધને પગલે એમેઝોન અને એક્સોટિક ઇન્ડિયા બંને પરથી રાધા-કૃષ્ણની વાંધાજનક પેઇન્ટિંગ હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, એક્ઝોટિક ઇન્ડિયાએ લેખિત માફી પણ જારી કરીને કહ્યું છે કે "અમારા ધ્યાને આવ્યું છે કે અમારી વેબસાઇટ પર એક વાંધાજનક તસવીર અપલોડ કરવામાં આવી હતી. જેને તરત જ હટાવી દેવામાં આવી છે. અમે આ માટે દિલથી માફી માંગીએ છીએ. કૃપા કરીને એક્સોટિક ઇન્ડિયાનો બહિષ્કાર કરશો નહીં. હરે કૃષ્ણ."

સોશિયલ મીડિયા પર છવાયુ બોયકોટ એમેઝોન

સોશિયલ મીડિયા પર છવાયુ બોયકોટ એમેઝોન

વેબસાઇટ પરથી તસવીરો ઉતારી લેવામાં આવી હોવા છતાં ટ્વિટર પર યુઝર્સ એમેઝોન સામે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પ્રવીણ નામના યુઝરે લખ્યું કે એમેઝોન અને એક્ઝોટિક ઈન્ડિયા એવી કંપનીઓ છે જે ભગવાન કૃષ્ણ અને માતા રાધાની અશ્લીલ તસવીરો વેચી રહી છે. તેણે હિંદુઓની ધાર્મિક ભાવનાઓનું અપમાન કર્યું છે. હિંદુઓ આ કંપનીઓ પાસેથી કોઈ માલ ખરીદતા નથી.

'હેલો એમેઝોન... તો નેક્સ્ટ ટાઇમ'

'હેલો એમેઝોન... તો નેક્સ્ટ ટાઇમ'

અન્ય એક યુઝરે લખ્યું કે એમેઝોન શ્રી કૃષ્ણ અને રાધાની અશ્લીલ તસવીરો બનાવીને વેચી રહી છે. ચાલો તેમને પાઠ ભણાવીએ. અન્ય યુઝરે લખ્યું કે આટલું પૂરતું છે એમેઝોન, તમે ચેક કરો કે તમે શું વેચી રહ્યા છો. અન્યથા તમારી પાસે આગલી વખતે કોઈ ગ્રાહક નહીં હોય. ઈન્કોલોજી નામની આ વિક્રેતા બેંગ્લોર સ્થિત સંસ્થા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X