સીએએ-એનઆરસી સામેના પ્રદર્શનની અસર તાજમહેલને પણ થઈ, 2 લાખ લોકોએ ટિકિટ રદ કરી
નાગરિકતા સુધારો કાયદાને લઈને દેશના ઘણા રાજ્યોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. દિલ્હી સિવાય રાજકીય પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ આ કાયદાની વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ અને અન્ય ઘણ
નાગરિકતા સુધારો કાયદાને લઈને દેશના ઘણા રાજ્યોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. દિલ્હી સિવાય રાજકીય પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ આ કાયદાની વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ અને અન્ય ઘણા રાજ્યોમાં રસ્તાઓ પર ઉતર્યા છે. આ જ્વલંત કામગીરીને કારણે યુપીના ઘણા જિલ્લાઓમાં ભૂતકાળમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. સામાન્ય લોકો ઉપરાંત આ પ્રદર્શનની અસર પર્યટન પર પણ પડી છે.
2 લાખ પ્રવાસીઓ ટીકીટ કેંસલ કરી
રોઇટર્સના જણાવ્યા અનુસાર, સીએએ વિરુદ્ધ હિંસક પ્રદર્શનથી પર્યટન ઉદ્યોગને પણ અસર થઇ છે. ભારત આવતા નાગરિકોના અમેરિકા, યુકે, રશિયા, ઇઝરાઇલ, સિંગાપોર, કેનેડા અને તાઇવાન સહિતના સાત દેશોએ એડવાઇઝરી જારી કરી છે. છેલ્લા બે અઠવાડિયામાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પ્રવાસીઓએ તાજમહેલની મુલાકાત લેવા માટેનો પાસ રદ કર્યો છે. વિશ્વના પસંદ કરેલા પર્યટન સ્થળો પૈકી એક, આગ્રાના તાજમહેલની મુલાકાતીઓની સંખ્યા આ દિવસોમાં ઘટાડો થયો છે.
દર વર્ષે લગભગ 65 લાખ પ્રવાસીઓ આગ્રાની મુલાકાત લે છે
તાજ નજીકના ટૂરિસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દિનેશ કુમારે જણાવ્યું હતું કે, 2018, ડિસેમ્બરથી 2019 સુધી પ્રવાસીઓના આંકડામાં 60% ઘટાડો થયો છે. તેમનું કહેવું છે કે સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ સુરક્ષા અને અહીંની પરિસ્થિતિ વિશેની માહિતી માટે કંટ્રોલ રૂમને ફોન કરે છે. આગ્રા દર વર્ષે લગભગ 65 લાખ પ્રવાસીઓ આકર્ષે છે, જે પ્રવેશ ફીથી ફક્ત 14 મિલિયન ડોલરની કમાણી કરે છે. જણાવી દઇએ કે વિદેશી પર્યટક માટે પ્રવેશ ફી 1100 રૂપિયા છે.
યુપીમાં અનેક જગ્યાએ થયા હિંસક દેખાવો
તમને જણાવી દઈએ કે, નાગરકિતા સુધારો અધિનિયમ અને એનઆરસીને લઈને ઉત્તર પ્રદેશમાં સૌથી હિંસક વિરોધ પ્રદર્શન થયા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ હાલમાં તાજને જોવા આવવાનું ટાળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આ હિંસક પ્રદર્શનમાં 20 લોકોનાં મોત નીપજ્યાં છે. આ હિંસક પ્રદર્શનને લીધે સરકારે લખનૌ, કાનપુર, વારાણસી, આગ્રા, ગાઝિયાબાદ અને ગોરખપુર જિલ્લા સહિત ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાઇ છે.