તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
શ્રીનગર, 13 માર્ચ : આજે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી એક પોલીસ પબ્લિક શાળાની બહાર વહેલી સવારે બે ફિદાઇન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદી અને સીઆરપીએફના જવાનો વચ્ચે થયેલા ફાયરિંગમાં 5 જવાનો શહીદ થયા છે, જ્યારે 7 જવાનો ઇજગ્રસ્ત થયા છે.
ચાર મહિના બાદ શ્રીનગરમાં આવો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ દ્વારા સ્કૂલની બહાર આવેલા સીઆરપીએફના બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેમ્પની અંદર છૂપાયેલા 2 ફિદાઇન આતંકીઓને સીઆરપીએફના જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. આ હુમલાને પગલે શ્રીનગરમાં હજીએ તણાવભર્યું વાતાવરણ છે. હજી સુધી એ નથી જાણી શકાયું કે આ આતંકવાદીઓ કયા ગ્રુપના હતા અને હુમલો કરવાનો તેમનો ઉદ્દેશ્ય શું હતો.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પોલીસ પબ્લીક સ્કૂલ આજે બંધ હતી અને આ આતંકવાદીઓ શાળાના બાજુમાં આવેલા મેદાનમાં ક્રિકેટના સામાનની અંદર હથિયારો છૂપાવીને આવ્યા હતા. આ મેદાન ક્રિકેટ રમવા માટે સૌને માટે ખુલ્લુ હોય છે જેનો લાભ લઇને ફિયાદીન અહીં ઘુસી ગયા હતા, અને તક મળતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ
તસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ