વિક્રમાદિત્ય પરથી મોદીનો હુંકાર 'હવે આંખથી આંખ મીલાવીને વાત કરીશું'
પણજી, 14 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે ભારતીય નૌકાદળના સૌથી મોટા એરક્રાફ્ટ કરિયર આઇએનએસ વિક્રમાદિત્ય રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. લગભગ ચાર કલાક વડાપ્રધાન મોદી આઇએનએસ વિક્રમઆદિત્ય પર રહ્યા અને નૌકાદળના યુદ્ધ જહાજ અને લડાકુ વિમાનોનું શક્તિ પ્રદર્શનને નજીકથી જોયું.
આઇએનએસ વિક્રમાદિત્યનું અવલોકસન કરીને સેનાને સમર્પિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના અધિકારીઓ અને નાવિકોને સંબોધનમાં જણાવ્યું, 'અમે આંખ બતાવીશું નહી અને આંખ ઝૂકાવીશું પણ નહીં. અમે આંખ મિલાવીને વાત કરીશું.' ભારતીય નૌકાદળને શુભેચ્છાઓ આપતા મોદીએ જણાવ્યું કે કોઇ પણ ભારતને હવે આંખ બતાવી શકશે નહીં. મોદીએ જણાવ્યું કે 'વન રેંક વન પેંશન' યોજનાને લાગુ કરવા માટે આ સરકાર પ્રતિબદ્ધ છે. મોદીએ પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્તર પર 'વૉર મેમોરિયલ' બનાવવાની પણ વાત કરી.
એક દાયકા પહેલા ખરીદવામાં આવેલું આ જહાજ આઇએનએસ વિક્રમાદિત્ય આજે ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અરબ સાગરમાં ગોવા તટ પર દેશના સૌથી મોટા યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રમાદિત્ય પર પહોંચ્યા. વિક્રમાદિત્ય જહાજ પર નેવી ચીફ એડમિરલ આરકે ધવને વડાપ્રધાનની આગેવાની કરી. ત્યારબાદ 150 નૌસૈનિકોએ યુદ્ધ જહાજ પર વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. મોદી મિગ-29 વિમાન પર પણ બેસ્યા અને ગોવા તટ પર તરી રહેલા આ વિમાનની શક્તિનો અહેસાસ કર્યો.
વધુ સમાચાર જુઓ સ્લાઇડરમાં...
આઇએનએસ વિક્રમાદિત્ય રાષ્ટ્રને સમર્પિત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે ભારતીય નૌકાદળના સૌથી મોટા એરક્રાફ્ટ કરિયર આઇએનએસ વિક્રમાદિત્ય રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. લગભગ ચાર કલાક વડાપ્રધાન મોદી આઇએનએસ વિક્રમઆદિત્ય પર રહ્યા અને નૌકાદળના યુદ્ધ જહાજ અને લડાકુ વિમાનોનું શક્તિ પ્રદર્શનને નજીકથી જોયું.
મોદીએ સંબોધન કર્યું
આઇએનએસ વિક્રમાદિત્યનું અવલોકન કરીને સેનાને સમર્પિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના અધિકારીઓ અને નાવિકોને સંબોધનમાં જણાવ્યું, 'અમે આંખ બતાવીશું નહી અને આંખ ઝૂકાવીશું પણ નહીં. અમે આંખ મિલાવીને વાત કરીશું.' ભારતીય નૌકાદળને શુભેચ્છાઓ આપતા મોદીએ જણાવ્યું કે કોઇ પણ ભારતને હવે આંખ બતાવી શકશે નહીં. મોદીએ જણાવ્યું કે 'વન રેંક વન પેંશન' યોજનાને લાગુ કરવા માટે આ સરકાર પ્રતિબદ્ધ છે. મોદીએ પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્તર પર 'વૉર મેમોરિયલ' બનાવવાની પણ વાત કરી.
જહાજ પર વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપાયું
એક દાયકા પહેલા ખરીદવામાં આવેલું આ જહાજ આઇએનએસ વિક્રમાદિત્ય આજે ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અરબ સાગરમાં ગોવા તટ પર દેશના સૌથી મોટા યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રમાદિત્ય પર પહોંચ્યા. વિક્રમાદિત્ય જહાજ પર નેવી ચીફ એડમિરલ આરકે ધવને વડાપ્રધાનની આગેવાની કરી. ત્યારબાદ 150 નૌસૈનિકોએ યુદ્ધ જહાજ પર વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. મોદી મિગ-29 વિમાન પર પણ બેસ્યા અને ગોવા તટ પર તરી રહેલા આ વિમાનની શક્તિનો અહેસાસ કર્યો.
'સમુદ્રમાં એક દિવસ'
ગોવા કિનારે લગભગ 'સમુદ્રમાં એક દિવસ' નામથી આયોજીત નૌસૈના આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ નૌસેનાના આધુનિક લડાકૂ વિમાન મિગ-29કે, લાંબી દૂરીના સમુદ્ર ટોહી વિમાન પી-8 આઇ, સી હેરિયર, પનડુબ્બિયો વિરુધ્ધ યુદ્ધભૂમિકામાં કામ આવનાર ટીયૂ-142 ટોહી વિમાન, આઇએલ-38, કામોવ અને સી કિંગ હેલિકોપ્ટરના કરતબને જોયું.
મોદીએ પોતાની ભવ્યતાનો અહેસાસ કરાવ્યો
આ દરમિયાન વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટ, દિલ્હી વર્ગના વિધ્વંસક જહાજ, તલવાર વર્ગના ફ્રિગેટ પણ વિક્રમાદિત્યની સામેથી પસાર થઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ભવ્યતાનો અહેસાસ કરાવ્યો. આ દરમિયાન મિગ -29K લગાગૂ વિમાનોનું વિક્રમાદિત્ય જહાજ પર ઉતારવાનું પ્રદર્શન બતાવવામાં આવ્યું. 15 હજાર કરોડ રૂપિયા અને 45 હજાર ટન વિસ્થાપન ક્ષમતા વાળા વિક્રમઆદિત્ય જહાજ બે મહિના પહેલા જ રશિયાથી ગોવા આવ્યું છે.