Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાનૂનમંત્રી બદલવા વિચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી: સૂત્ર

manmohan singh
નવી દિલ્હી, 9 મે : એવું લાગે છે કે કોલગેટને લઇને સીબીઆઇના સોગંધનામા પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી તીખી ટીપ્પણી બાદ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કાનૂનમંત્રી અશ્વિની કુમાર પર કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. સમાચાર છે કે કાનૂનમંત્રીને ટૂંક સમયમાં બદલવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનંત્રી કાનૂનમંત્રી બદલવા પર વિચાર કરી રહ્યા છે. જોકે નિર્ણય લેતા પહેલા તેઓ તથ્યો પર નજર કરી રહ્યા છે.

આ પહેલા ગુરુવારે એટર્ની જનરલ જીઇ વાહનવતીએ પહેલા પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ત્યારબાદ કાનૂનમંત્રી અશ્વિની કુમાર પોતે પીએમને મળવા પહોંચ્યા. બંનેની મુલાકાત સમાપ્ત થઇ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે ન્યાયાધીશ આરએમ લોઢાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સીબીઆઇ પર પ્રહાર કરી તેને એક બંધ પિંઝરાના પોપટ સમાન ગણાવી હતી. કોલસા ખાણ ફાળવણી ઘોટાળાને લઇને સીબીઆઇએ પોતાનું સોગંધનામું કોર્ટમાં રજૂ કર્યું હતું જેમાં કાનૂનમંત્રી અશ્વિની કુમારની ઉપર આરોપ હતો કે તેમણે કોલસા રિપોર્ટમાં ફેરફાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ જનહીત અરજીઓ પર આજે એટલે કે બુધવારે મહત્વપૂર્ણ સુનવણી કરતા સખત વલણ અપનાવતા કહ્યું કે સીબીઆઇ પિંજરામાં કેદ પોપટ જેવી છે. જે પોતાના માલિકની ભાષા બોલે છે. કાનૂનમંત્રી અશ્વિની કુમારના મુ્દ્દા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે સીબીઆઇના ઘણા માસ્ટર છે જેના ઇશારા પર સીબીઆઇ કામ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X