કાનૂનમંત્રી બદલવા વિચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી: સૂત્ર
આ પહેલા ગુરુવારે એટર્ની જનરલ જીઇ વાહનવતીએ પહેલા પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ત્યારબાદ કાનૂનમંત્રી અશ્વિની કુમાર પોતે પીએમને મળવા પહોંચ્યા. બંનેની મુલાકાત સમાપ્ત થઇ ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે ન્યાયાધીશ આરએમ લોઢાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સીબીઆઇ પર પ્રહાર કરી તેને એક બંધ પિંઝરાના પોપટ સમાન ગણાવી હતી. કોલસા ખાણ ફાળવણી ઘોટાળાને લઇને સીબીઆઇએ પોતાનું સોગંધનામું કોર્ટમાં રજૂ કર્યું હતું જેમાં કાનૂનમંત્રી અશ્વિની કુમારની ઉપર આરોપ હતો કે તેમણે કોલસા રિપોર્ટમાં ફેરફાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ જનહીત અરજીઓ પર આજે એટલે કે બુધવારે મહત્વપૂર્ણ સુનવણી કરતા સખત વલણ અપનાવતા કહ્યું કે સીબીઆઇ પિંજરામાં કેદ પોપટ જેવી છે. જે પોતાના માલિકની ભાષા બોલે છે. કાનૂનમંત્રી અશ્વિની કુમારના મુ્દ્દા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે સીબીઆઇના ઘણા માસ્ટર છે જેના ઇશારા પર સીબીઆઇ કામ કરે છે.