Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આજે વડાપ્રધાન પીએસયુના વડાઓને મળશે

pm
નવી દિલ્હી, 23 ઑક્ટોબર : કેન્દ્ર સરકાર દ્વારા દેશના અર્થતંત્રમાં સુધારો લાવવા માટેના પગલાંને પ્રોત્સાહન આપવાની સાથે જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ) એકમો અંગે પણ વિચારી રહી છે. આ મુદ્દે આજે વડાપ્રધાન મનમોહન સિંહ પીએસયુના વડાઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમાં રોકાણમાં વધારો, સ્વાયત્તતામાં વધારો અને સશક્તિકરણ જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં 25 જાહેર એકમોના વડાઓ હાજર રહેશે. આ 25 એકમોમાંથી મોટા ભાગની કંપનીઓ મહારત્ન અને નવરત્ન કંપનીઓ છે. જાહેર એકમોના વડાઓ સાથે વડાપ્રધાનની આ પ્રથમ બેઠક છે. વર્ષ 1990ના દાયકામાં કરવામાં આવેલા આર્થિક ઉદારીકરણના ફેરફારો બાદ જાહેર ક્ષેત્રના એકમોમાં જોરદાર વૃધ્ધિ થઇ હતી.

આ બેઠકમાં ઓએનજીસી, એનટીપીસી અને ભેલ જેવી મોટી કંપનીઓના વડાઓ એકમોના સશક્તિકરણ અને તેમને વધારે સ્વાયત્તતા આપવા જેવા મુદ્દાઓ અંગે વડાપ્રધાન સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. સૂત્રના જણાવ્યા અનુસાર કંપનીઓ વિનિવેશ અને એમઓયુ પ્રણાલીમાં પરિવર્તન અંગે પણ પોતાનો પક્ષ રજૂ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X