ત્રિપુરા રથયાત્રામાં થયેલ દુર્ઘટના પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરીને સહાયની કરી જાહેરાત
ત્રિપુરાના ઉપકોટિમાં રથયાત્રી દરમિયાન થેલા દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઇ હતી. આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમજ જે લોકો આ દુર્ઘટનાથી ગંભીર રીતે ઘાયલ થયેલા છે. તેમને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

જણાવી દઇએ કે, ત્રિપુરામાં રથયાત્રા દરમિયાન વિજળીનો તાર તુટી પડતા 7 લોકોની મોત થઇ હતી. જ્યારે 16 લોકો ઘાયલ થઇ ગયા હતા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, ઉલ્ટુ રથયાત્રા દરમિયાન કુમારઘાટમાં થયેલી ઘટના દુખદ છે.
પીએમ કહ્યુ કે, જે લોકોએ પોતાનો જીવ ગુમા્યો છે. તેમના પરીવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છુ. પ્રાર્થના કરુ છુ કે, ઘાયલ જલ્દી ઠીક થઇ જાય. આ દુર્ઘટનામાં પ્રભાવીત લોકોને સ્થાનીય પ્રશાસને દરેક પ્રકારની સંભવ મદદ કરી છે.
આ દુર્ઘટનામાં પરિજનોને 2-2 લાખ રૂપિયાની મદદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય આપદા કોષમાથી આપવામાં આવશે. જ્યારે જે લોકો ગંભીર રૂપથી ઘાયલ થયેલા છે. તેમને 50-50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
આ પહેલા ત્રિપુરાના મુખ્યમત્રી માણિક સાહાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને હાલાતની નિરીક્ષણ કર્યુ હતુ. તેમણે આ ઘટના પર દુખ જાહીર કરતા કહ્યુ કે, આ દુર્ભાગ્ય પૂર્ણ છે. ત્રિપુરાના ઇતિહાસમાં આ પ્રકારની કોઇ ઘટના બીજી ક્યારેય નથી થઇ. ઉલ્લેખનીય વાત છે. કે, બે વાળકોની પણ મૌત થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
