પીએમ મોદીનો રાહુલ ગાંધીને સવાલ, હવે અદાણી-અંબાણીને ગાળો કેમ નથી દેતા? બોલો - કેટલા બોરી રુપિયા આવ્યા?
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેલંગાણામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના પૂછ્યું કે તમે અંબાણી-અદાણીને ગાળો આપવાનું કેમ બંધ કર્યું?
પીએમ મોદીએ કહ્યું કે તમે જોયું જ હશે કે કોંગ્રેસના રાજકુમારો છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતાની સાથે માળા જપવાનુ શરૂ કરી દેતા હતા. જ્યારથી તેમનો રાફેલ મામલો ગ્રાઉન્ડ થયો છે, ત્યારથી તેમણે નવી માળા જપવાનુ શરૂ કર્યું છે. પાંચ વર્ષ સુધી એક જ માળાનો જાપ કરતા. પાંચ ઉદ્યોગપતિ-પાંચ ઉદ્યોગપતિ.

પછી ધીમે ધીમે તે કહેવા લાગ્યો, અંબાણી-અદાણી. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી તેઓએ અંબાણી-અંદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. આજે હું તેલંગાણાની ધરતીને પૂછવા માંગુ છું કે રાજકુમારે આ ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે તે જાહેર કરવું જોઈએ.
કાળા નાણાની કેટલી બોરીઓ લીધી છે, શું ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ પાસે પહોંચી છે? આખરે શું ડીલ થઈ ગઈ, તમે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું, દાળમાં જરુર કંઈક કાળુ છે. અંબાણી-અદાણીને પાંચ વર્ષ સુધી ગાળો દીધી અને હવે ગાળો રાતોરાત બંધ થઈ ગઈ. મતલબ કે તમને ચોરીનો માલ ટેમ્પોમાં ભરી-ભરીને મળ્યો છે. આનો જવાબ દેશને આપવો પડશે.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે સમાજના ગરીબ વર્ગની મદદ કરવાને બદલે ઉદ્યોગપતિઓને મદદ કરી રહી છે. તેમણે મોદી સરકાર પર ભારે મૂડીવાદનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે ત્રીજા તબક્કાનું મતદાન થયું છે, આ તબક્કામાં કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ફ્યૂઝ ઉડી ગયો છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર લોકસભા ચૂંટણીમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ દેશની ક્ષમતાઓને બરબાદ કરી રહી છે. તમે મને કહો કે કોંગ્રેસે દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી કે નહીં. કૃષિ અને કાપડ સદીઓથી દેશની તાકાત છે, પરંતુ કોંગ્રેસે તેમને પણ બરબાદ કરી દીધા. દેશની તમામ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ છે.
Why has Shahzade Ji stopped talking of Ambani and Adani in this election all of sudden? People are smelling a secret deal… pic.twitter.com/y5A87E6dfi
— Narendra Modi (@narendramodi) May 8, 2024
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
