Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી સરકારની મોટી પહેલ: બ્યૂરોક્રેટ્સની સેવા નિયમોમાં ફેરફાર, હવે ફેંસલો લેવાની વધુ આઝાદી

નવી દિલ્હી, 8 ઓગષ્ટ: કેન્દ્ર સરકારે એક મોટી પહેલ કરતાં એ સુનિશ્વિત કરવા માટે સેવા નિયમોમાં ફેરફાર કર્યા છે કે ભારતીય વહીવટી સેવા (આઇએએસ), ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) અને ભારતીય વન સેવા (આઇએફએસ)ના અધિકારી પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે 'ઉચ્ચ નૈતિકતા' તથા 'રાજકીય નિષ્પક્ષતા' જાળવી રાખે.

મોદી સરકાર દ્વાર સેવા નિયમોમાં લગભગ 40 વર્ષ બાદ પરિવર્તન કરીને ઓફિસરોને નિર્ણય લેવાની વધુ આઝાદી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસર કોઇની સાથે ભેદભાવ ન કરે.

narendra-modi-first-announce

નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓને જનતા, ખાસકરીને નબળા વર્ગો પ્રત્યે એવો વહેવાર ન કરવો જોઇએ. કાર્મિક તથા ટ્રેનિંગ વિભાગ (ડીઓપીટી) દ્વારા નોટિફાઈડ ઓલ ઇન્ડિયા સેવા (આચાર-વ્યવહાર) સંશોધન નિયમ, 2014માં અધિકારીઓ માટે આ જરૂરી ગણવામાં આવી છે કે તે પોતાના સાર્વજનિક કર્તવ્યો સાથે જોડાયેલા કોઇ અંગત હિતનો ખુલાસો પોતે કરે અને ટકરાવની સ્થિતીનો સામનો કરવા માટે એવા પગલાં ભરે જેથી જનહિતનું સંરક્ષણ હોય.

નિયમો અનુસાર અધિકારીઓને કોઇ વ્યક્તિ અથવા સંગઠનનું કોઇ એવું નાણાકીય અથવા અન્ય સહાય લેવી ન જોઇએ જેથી તેના આધિકારીક કર્તવ્ય પ્રભાવિત થાય. ડીઓપીટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે અખિલ ભારતીય સેવા એટલે કે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસના કોઇ અધિકારીને સિવિલ સેવક તરીકે પોતાના પરિવાર અથવા પોતાના મિત્રોને નાણાકીય અથવા ભૌતિક ફાયદા માટે ક્યારેય પોતાનો પદનો ખોટો ઉપયોગ કરવો ન જોઇએ. નિયમોમાં કહેવામાં આવ્યું છે કે અખિલ ભારતીય સેવાના અધિકારી પોતાના આધિકારીક કર્તવ્યોના પાલનમાં ગોપનીયતા વર્તશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X