G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અર્જેન્ટીના જવા રવાના
G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે મોદી અર્જેન્ટીના જવા રવાના
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બુધવારે સાંજે અર્જેન્ટિના જવા રવાના થઈ ગયા છે. આ જી-20 શિખર સંમેલનના વિવિધ સત્ર દરમિયાન પીએમ મોદી અનૌપચારિક રીતે બ્રિક્સની બેઠક સિવાય કેટલાય વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજે ભારતથી રવાના થતા પહેલા પીએમ મોદીએ રાજસ્થાનમાં બે રેલી કરી હતી.

શાંતિ માટે યોગ સમારોહ
અર્જેન્ટીનામાં 29 નવેમ્બરે પહોંચતાની સાથે જ પીએમ મોદી બ્યૂનસ આયર્સમાં શાંતિ માટે યોગ સમારોહમાં ભાગ લેશે, જ્યાં તેઓ એક સ્પીચ પણ આપશે. જે બાદ 30 નવેમ્બરે પીએમ મોદી ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જર્મન ચાંસલર એન્જેલા માર્કેટ અને નેધરલેન્ડના પીએમ માર્ક રૂટની મુલાકાત કરશે. આની સાથે જ અનૌપચારિક રપે રશિયા-ભારત-ચીનની મીટિંગમાં પણ મોદી સામેલ થશે.

આ મુદ્દાઓ પર વાત કરશે
વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે આ સંમેલનને પીએમ મોદી સંબોધિત કરશે, જેમાં આયુષ્માન ભારત, મુદ્રા યોજના, જનધન સ્કીમ અને જીએસટી જેવા મુદ્દા સામેલ હશે. ગોખલેએ કહ્યું કે પીએમ મોદી આની ઉપરાંત ઓઈલ કિંમતોથી પ્રભાવિત થતી ભારતીય અર્થવ્યવસ્થા અને ડિજિટલ રિવોલ્યૂશનથી નોકરીની સંભાવનાઓને લઈ પોતાની વાત રાખશે.

બહુપક્ષીય બેઠકમાં ભાગ લેશે
જી20 શિખર સંમેલનમાં વિશ્વ વ્યાપાર સંગઠન પર એક બહુપક્ષીય બેઠક થશે અને આ સંગઠનમાં જરૂરી સુધારાઓ પર પોતાની વાત રાખવા માટે ભારત પણ સામેલ થશે. 1 ડિસેમ્બરે મોદી અર્જેન્ટિનાના પીએમ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ યૂરોપીય સંઘ અને યૂરોપીય પરિષદના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
