Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદીએ પદ્મશ્રી બલબીર સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ

રમતગમત પ્રેમીઓ માટે સોમવારની સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. મોહાલીમાં પૂર્વ હૉકી ખેલાડી બલબીર સિંહનુ નિધન થઈ ગયુ.

રમતગમત પ્રેમીઓ માટે સોમવારની સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. મોહાલીમાં પૂર્વ હૉકી ખેલાડી બલબીર સિંહનુ નિધન થઈ ગયુ. બલબીર સિંહ 96 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બિમાર હતા. જેના કારણે તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ સોમવારે સવારે સાડા છ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

PM Modi

પદ્મશ્રી બલબીર સિંહને શ્રદ્ધાંજલિ આપીને પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ કે તેમને તેમના યાદગાર ખેલ પ્રદર્શન માટે હંમેશા યાદ કરવામાં આવશે. આખા દેશને તેમના પર ગર્વ છે. નિઃશંકપણે એક ઉત્કૃષ્ટ હૉકી ખેલાડી તરીકે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. બલબીર સિંહના નિધનથી ખૂબ દુઃખ થયુ છે. પીએમ મોદીએ તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. વળી, ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટર પર લખ્યુ કે બલબીરજી એક પ્રસિદ્ધ હૉકી ખેલાડી હતા જેમણે પોતાની સ્ટિકથી વિશ્વ હૉકી પર છાપ છોડી છે. હું ભાગ્યશાળી છુ કે હું ઝિંદાદિલ બલબીરજીને મળ્યો હતો. તેમના નિધન પર તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે.

તમને જણાવી દઈએ કે બલબીર સિંહ હૉકીના દિગ્ગજ ખેલાડી હતા જેમણે દુનિયામાં એક અલગ ઓળખ મળી હતી. તેમણે લંડન(1948), હેલસિંકી(1952) અને મેલબર્ન(1956) ઓલિમ્પિકમાં ભારતને સ્વર્ણ પદક જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમના આ યોગદાન માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સમ્માનિત કર્યા હતા. બલબીર સિંહ 1975 વિશ્વ કપ વિજેતા ભારતીય હૉકી ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X