પીએમ મોદીએ પદ્મશ્રી બલબીર સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ
રમતગમત પ્રેમીઓ માટે સોમવારની સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. મોહાલીમાં પૂર્વ હૉકી ખેલાડી બલબીર સિંહનુ નિધન થઈ ગયુ.
રમતગમત પ્રેમીઓ માટે સોમવારની સવારે એક દુઃખદ સમાચાર આવ્યા. મોહાલીમાં પૂર્વ હૉકી ખેલાડી બલબીર સિંહનુ નિધન થઈ ગયુ. બલબીર સિંહ 96 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બિમાર હતા. જેના કારણે તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા મુજબ સોમવારે સવારે સાડા છ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

પદ્મશ્રી બલબીર સિંહને શ્રદ્ધાંજલિ આપીને પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ કે તેમને તેમના યાદગાર ખેલ પ્રદર્શન માટે હંમેશા યાદ કરવામાં આવશે. આખા દેશને તેમના પર ગર્વ છે. નિઃશંકપણે એક ઉત્કૃષ્ટ હૉકી ખેલાડી તરીકે તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. બલબીર સિંહના નિધનથી ખૂબ દુઃખ થયુ છે. પીએમ મોદીએ તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. વળી, ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટર પર લખ્યુ કે બલબીરજી એક પ્રસિદ્ધ હૉકી ખેલાડી હતા જેમણે પોતાની સ્ટિકથી વિશ્વ હૉકી પર છાપ છોડી છે. હું ભાગ્યશાળી છુ કે હું ઝિંદાદિલ બલબીરજીને મળ્યો હતો. તેમના નિધન પર તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે.
Padma Shri Balbir Singh Sr. Ji will be remembered for his memorable sporting performances. He brought home lots of pride and laurels. Undoubtedly a brilliant hockey player, he also made a mark as a great mentor. Pained by his demise. Condolences to his family and well wishers.
— Narendra Modi (@narendramodi) May 25, 2020
તમને જણાવી દઈએ કે બલબીર સિંહ હૉકીના દિગ્ગજ ખેલાડી હતા જેમણે દુનિયામાં એક અલગ ઓળખ મળી હતી. તેમણે લંડન(1948), હેલસિંકી(1952) અને મેલબર્ન(1956) ઓલિમ્પિકમાં ભારતને સ્વર્ણ પદક જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમના આ યોગદાન માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સમ્માનિત કર્યા હતા. બલબીર સિંહ 1975 વિશ્વ કપ વિજેતા ભારતીય હૉકી ટીમના મેનેજર પણ રહી ચૂક્યા છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
