PM મોદીએ CDS બિપિન રાવતને એરપોર્ટ પર આપી શ્રદ્ધાંજલી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે રાત્રે લગભગ 9 વાગ્યે પાલમ એરપોર્ટ પર CDS જનરલ બિપિન રાવત અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. CDS રાવત સહિત સેનાના અન્ય જવાનોના પાર્થિવ દેહ દિલ્
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે રાત્રે લગભગ 9 વાગ્યે પાલમ એરપોર્ટ પર CDS જનરલ બિપિન રાવત અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. CDS રાવત સહિત સેનાના અન્ય જવાનોના પાર્થિવ દેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ત્રણ સેના પ્રમુખો પણ હાજર છે. CDS બિપિન રાવતની યાદમાં શ્રદ્ધાંજલિ સમારોહ સવારે 8.30 વાગ્યે શરૂ થયો હતો.
પીએમ મોદીએ CDS રાવતને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલમ એરપોર્ટ પહોંચ્યા. આ પછી, તેમણે જનરલ રાવત અને અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય દળોના પ્રમુખો ઉપરાંત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પાલમ એરપોર્ટ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
પાર્થિવ દેહને શુક્રવારે નિવાસ સ્થાને લઇ જવાશે
જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને શુક્રવારે 10 ડિસેમ્બરે તેમના નિવાસસ્થાન (3 કામરાજ માર્ગ) પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેથી, 11 થી 12:30 સુધી, મહાનુભાવો અને સામાન્ય નાગરિકો અંતિમ શ્રદ્ધાંજલિ આપશે, જ્યારે 12:30 થી 13:30 સુધી, લશ્કરી કર્મચારીઓ જનરલ બિપિન રાવતને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. રાહુલ ગાંધી શુક્રવારે સવારે 9:30 વાગ્યે કામરાજ રોડ પર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપશે.
આટલા લોકોના મૃતદેહની થઇ ઓળખ
સેનાના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કેટલાક નશ્વર અવશેષોની ઓળખ શક્ય બની છે. જેમાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને બ્રિગેડિયર એલએસ લિડરના મૃતદેહ છે. તેમના અવશેષો સંબંધિત પરિવારોને સોંપવામાં આવશે. બાકીના અવશેષોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સકારાત્મક ઓળખની ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહને આર્મી બેઝ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવશે.
અંતિમ સંસ્કારમાં આ લોકો થશે સામેલ
શ્રીલંકાના આર્મી ચીફ અને આર્મી કમાન્ડર જનરલ શવેન્દ્ર સિલ્વા જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિડરના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 7.15 કલાકે દિલ્હી કેન્ટમાં કરવામાં આવશે.