પીએમ મોદીએ કોંગ્રેસ રાજ પર સાધ્યુ નિશાન, યાદ કરાવી 2013 ની ગતિ
72 માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યા. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
72 માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યા. આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી તરીકે પાંચમી વાર લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરી રહેલ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જે ગતિથી 2013 માં ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા હતા જો તે જ જૂની ગતિ હોત તો દેશના દરેક ઘરમાં વર્ષો સુધી પણ ગેસ કનેક્શન ના પહોંચી શક્યા હોત.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે આપણે ક્યાંથી ચાલ્યા હતા તેના પર નજર નહિ નાખીએ તો કેટલે સુધી પહોંચ્યા તેનો અંદાજ નહિ આવી શકે. એટલા માટે 2013 માં આપણો દેશ જે ગતિથી ચાલી રહ્યો હતો તેને જો આપણે આધાર માનીએ અને છેલ્લા ચાર વર્ષોના કામના લેખાજોખા લઈએ તો તમને અચરજ થશે કે દેશની ગતિ કેટલી આગળ વધી રહી છે. 2013 ની ગતિથી ચાલીએ તો શૌચાલય બનાવવામાં દાયકા લાગી જાત.
પીએમ મોદીએ કહ્યુ કે 2013 ના આધાર પર ગામોમાં વિજળી પહોંચાડવા માટે એક-બે દાયકા લાગી જાત. 2013 ની ગતિથી એલપીજી ગેસ કનેક્શન અને ગરીબ મા ને ધૂમાડામુક્ત ચૂલો આપવામાં સો વર્ષ પણ ઓછા પડી જાત. ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર લગાવવામાં પેઢીઓ નીકળી જાત. દેશ એ જ છે, ધરતી એ જ છે, હવાઓ એ જ છે, સરકારી કાર્યાલયો એ જ છે, નિર્ણય પ્રક્રિયા કરનારા લોકો એ જ છે, ફાઈલો એ જ છે, પરંતુ દેશ ચાર વર્ષેમાં ફેરફાર અનુભવી રહ્યો છે. દેશ નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે જ દેશ બેગણા હાઈવે બનાવી રહ્યો છે. ગામોમાં ચાર ગણા નવા ઘર બની રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ, લઘુત્તમ સમર્થન મુલ્ય (ટેકાના ભાવો) ને જ જોઈ લો. રાજકીય પક્ષો માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોને મૂળ કિંમતના ડોઢ ગણા ટેકાના ભાવ મળવા જોઈએ પરંતુ અમે નિર્ણય કર્યો કે ખેડૂતોને ડોઢ ગણો ટેકાના ભાવ આપવામાં આવશે. જીએસટી પણ કોઈ ઈચ્છતુ નહોતુ પરંતુ નિર્ણય થઈ શકતા નહોતા. રાજકારણ-ચૂંટણીનું દબાણ રહેતુ હતુ. અમે પક્ષના હિતમાં નહિ દેશના હિતમાં નિર્ણયો કરીએ છીએ.
પીએમ મોદીએ કહ્યુ કે દેશની અપેક્ષાઓ અને જરૂરિયાતો બહુ જ છે જેને પૂરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિરંતર પ્રયાસ કરવાના છે. અમે આકરા નિર્ણયો લેવાનું સામર્થ્ય રાખીએ છીએ કારણકે દેશહિત અમારા માટે સર્વોપરિ છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ







Click it and Unblock the Notifications
